Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 66
________________ કરવી, ૧૨. જાહેર થઈ ગયેલી વાતને ખાનગી રાખવાનો પ્રયત્ન કરવો, ૧૩. ચંચલ સ્ત્રીનો પતિ થઈને ઈર્ષ્યા કરવી, ૧૪. શક્તિશાળી શત્રુ હોવા છતાં મનમાં તેનો સંદેહ ન રાખવો, ૧૫. ધન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો, ૧૬. અભણ હોવા છતાં ઉંચે સ્વરથી કવિતા બોલવી, ૧૭. અવસર વિના બોલવાની ચતુરાઈ બતાવવી, ૧૮. બોલવાનું હોય ત્યારે મૌન ધારણ કરવું, ૧૯. લાભ થવાના અવસરે ઝઘડો કરી બેસવું, ૨૦. ભોજન સમયે ક્રોધ કરવો, ૨૧. વધુ લાભની આશાથી ધનનો પસારો કરવો, ૨૨. સાધારણ વાતચીતમાં ક્લિષ્ટ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરવો, ૨૩. પુત્રના હાથમાં બધી મિલ્કત સોંપી ગરીબ-દીન થઈ જવું, ૨૪. સ્ત્રી પક્ષના લોકો પાસે મદદ માગવી, ૨૫. પત્નીથી મેળ ન હોવાથી બીજી પત્ની કરવી, ૨૬. પુત્ર પર ગુસ્સે થઈ તેને નુકસાન પહોંચાડવું, ૨૭. વિષયી પુરુષો સાથે હરિફાઈ કરી પૈસો ઉડાવવો, ૨૮. યાચકો દ્વારા કરાયેલી પ્રશંસાથી મનમાં અભિમાન લાવવું, ૨૯. પોતાની બુદ્ધિના ગુમાનથી બીજાઓનું હિતવચન ન સાંભળવું, ૩૦. “અમારૂં ખાનદાન શ્રેષ્ઠ છે, એ અહંકારથી બીજાની નોકરી ન કરવી, ૩૧. દુર્લભ દ્રવ્ય ખર્ચાને કામ-ભોગ કરવો, ૩૨. પૈસા ખર્ચીને ખરાબ માર્ગે જવું, ૩૭. લોભી રાજા, શેઠ વગેરે પાસે લાભની આશા કરવી, ૩૪. દુષ્ટ અધિકારી પાસેથી ન્યાયની આશા કરવી, ૩૫. કાયસ્થ પાસેથી સ્નેહની આશા રાખવી, ૩૬. અરસિક મનુષ્ય પાસે પોતાના ગુણ ગાવા, ૩૭. કૃતઘી પાસેથી પ્રત્યુપકારની આશા રાખવી, ૩૮. મંત્રી નિર્દયી હોય તો પણ ભય ન રાખવો, ૩૯. શરીર તંદુરસ્ત હોય તો પણ વહેમ અને ભ્રમથી દયા ખાવી, ૪૦. રોગી હોવા છતાં ચરી ન પાળવી, ૪૧. લોભવશ સ્વજનોને છોડી દેવા, ૪૨. મિત્રના મનમાંથી પ્રેમભંગ થાય તેવાં વચન બોલવાં, ૪૩. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70