________________
સમ્યક્ત્વનું સ્વરૂપ :- સુદેવ, સુગુરુ અને સુધર્મ તેમજ જીવ આદિ નવ તત્ત્વોમાં અખંડ શ્રદ્ધા રાખવી તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ જિનધર્મનો મૂલ આધાર છે.
પ્રતિજ્ઞા :- આજીવન શ્રી જિનેશ્વર પરમાત્મા માટે દેવ, પંચ મહાવ્રતધારી સુગુરુ એ મારા ગુરુ અને જિનેશ્વરદેવે જે મુક્તિનો માર્ગ કહ્યો છે તે મારો ધર્મ છે.
અતિચાર :- સમ્યક્ત્વના પાંચ અતિચાર છે.જેને જાણવા જોઇએ. અતિચારોના સેવનથી આપણું સમ્યક્ત્વ મલિન થાય છે તેથી એનું આચરણ વર્જ્ય છે.
(૧) શંકા :- શ્રી જિનેશ્વર ભગવંતના વચનોમાં શંકા કરવી.
-
(૨) કાંક્ષા :- અન્ય ધર્મિયોના ચમત્કાર કે આડંબર જોઇને તે ધર્મ પ્રત્યે આકર્ષિત થવું. .
(૩) વિચિકિત્સા :- ધર્મક્રિયાના ફલમાં સંદેહ રાખવો તથા ત્યાગમાર્ગ અને ત્યાગીઓ પ્રત્યે નફરત અને નિંદા કરવી. (૪) મિથ્યાર્દષ્ટિ પ્રશંસા ઃ- અજ્ઞાન તપ કરવાવાલા તાપસો, સંન્યાસીઓ આદિની પ્રશંસા કરવી.
(૫) કુલિંગસંસ્તવ :- મિથ્યાત્વી સાધુ સંન્યાસી તથા ગુણ રહિત વેશધારીઓનો પરિચય કરવો.
કરણી : (૧) પ્રતિદિન પ્રભુદર્શન, પૂજા, સ્નાત્ર, પ્રતિમા.............. (૨) રોજ યોગ હોય તો ગુરુવંદન અને વ્યાખ્યાનનું શ્રવણ. (૩) દ૨૨ોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, નવકારશી, ચોવિહાર અથવા તિવિહાર નમસ્કાર મહામંત્રનો જાપ તેમજ આત્મચિંતન.
(૩૨)