________________
- (૩) સર્વ જીવરાશિને ખમાવવાં (૪) અઢાર પાપસ્થાનકોનો ત્યાગ (૫) અરિહંતાદિ ચાર શરણોનો સ્વીકાર (૬) દુષ્કૃત્યોની નિંદા (૭) સુકૃતની અનુમોદના (૮) અનિત્યાદિ ભાવનાઓ ભાવવી. (૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર આહારનો ત્યાગ અને (૧) પંચપરમેષ્ઠી મહામંત્રનું સતત સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરવો.
. - આ પ્રકારની આરાધનાથી જીવ જો આ જન્મમાં મોક્ષ ન • પામે તો છેવટે દેવત્વ અને મનુષ્યત્વના સુખ ભોગવતાં ભોગવતાં આઠ ભવની અંદર જરૂર મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
- શ્રાવકે સમ્યકત્વને તથા શક્તિ અનુસાર વ્રતોનો સ્વીકાર કરવો જોઈએ એમ અગાઉ જણાવી ગયા છીએ..તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. . ' ' '
સમ્યક્ત્વ અથવા સમ્યગદર્શન दानानि शीलानि, तपांसि, पूजा, सत्तीर्थयात्रा, प्रवरा दया च । सुश्रावकत्वं, व्रतधारणं च, सम्यकत्वमूलानि, महाफलानि ॥
ના વિવિધ પ્રકારનાં દાન, શીલ તપ પૂજા, સત્તીર્થયાત્રા, ઉત્તમ પ્રકારની જીવ દયા સુશ્રાવકપણું, વ્રતોનો સ્વીકાર આદિ બધીજ ધર્મક્રિયાઓ જો સમ્યક્ત્વપૂર્વક હોય તો જ તે મહાન ફલને આપનારી બને છે.
સમ્યગ્ગદર્શન એ જ સમ્યક્ત્વ છે. “તત્ત્વાર્થસૂત્ર''ના રચયિતા શ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે
. सम्यग्दर्शनज्ञान चारित्राणि मोक्षमार्गः ।
આ પ્રમાણે ઉમાસ્વાતિજીએ મોક્ષને મેળવી આપનાર રત્નત્રયીમાં સમદર્શનને પ્રથમ સ્થાન આપ્યું છે.