Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari
View full book text
________________
એ ચીજોનો જંગ જિસ-હિંસક પાસેથી
ખરીદીને વેચવામાં દોષ છે. (૭) રસવાણિજ્ય : ઘી, તેલ, દૂધ, વગેરેનો વ્યાપાર કરવો. (૮) લાખવાણિજ્ય : લાખ, સાબુ, ખાર વગેરેનો વ્યાપાર કરવો. (૯) કેશવાણિજ્ય : પશુ, પક્ષી, દાસ, દાસી વગેરે વાળવાળા - જીવોનો વ્યાપાર કરવો. (૧૦) વિષવાણિજ્ય : અફીણ વગેરે ઝેરી ચીજોનો વ્યાપાર કરવો. (૧૧) યંત્ર-પીલણ મીલ, ગીરણી, રસ કાઢવાના સંચા વગેરે " ચલાવવા. (૧૨) નિલાંછન કર્મ બળદ વગેરેને નપુંસક બનાવવા તથા ડામ
દેવા. (૧૩) દવદાન : જંગલને બાળવું વગેરે. (૧૪) શોષણકર્મ સરોવર, તળાવ વગેરેનું પાણી સુકવી નાખવું. (૧૫) અસતીપોષણ : ખેલ, રમત અથવા વ્યાપારને માટે કુતરાં, બિલાડી, પોપટ, દાસ-દાસી વગેરેને પાળવાં.
તથા ફોજદાર, સિપાઈ, જેલર, મહાવત વગેરેની નોકરીમાંથી પ્રાપ્ત થતી આજીવિકાનો ત્યાગ કરવો.
જીવહિંસા તેમજ શારીરિક, માનસિક વિકૃતિના કારણભૂત નીચે લખેલ ચીજો અભક્ષ્ય અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી તેથી તેમનો ત્યાગ કરવો.

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70