Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 45
________________ : ચીજની સાથે હલકી ચીજને ભેળવીને વેચવી, જેમ કે – દૂધમાં પાણી, ઘીમાં ચરબી ઈત્યાદિ, (૪) વિરુદ્ધગમન - રાજ્યઆજ્ઞાની | વિના ગમન કરવું અથવા પરવાનગી વિનાજ પરદેશ જવું. (૫) કૂટતોલ-માન-માપ અર્થાત્ ઓછા-વતા અપ્રમાણિત તોલ માપ વગેરેનો વ્યવહાર કરવો. નોંધ - આ સિવાય રસ્તામાં પડેલી કોઈ ચીજ વસ્તુ આપણને જડે તો આપણે તેના માલિકનું ઠામ-ઠેકાણું મેળવી, તે ચીજને તેના અસલ માલિકને પહોંચાડી દેવી. જો ભાગ્યસંયોગે તેના માલિકનો પત્તો ન લાગે તો તે ચીજને ધર્માદામાં આપી દેવી. જો આપણી પાસે કોઈ એવી વ્યકિતનું ધન રહી જાય કે જેનો માલિક નિર્વશ મૃત્યુ પામ્યો હોય તો તેવી વ્યકિતનું ધન શ્રીસંઘની સાક્ષીએ શુભ કાર્યમાં ખર્ચી નાખવું. જ્યાં સુધી ઘરની માલિકી માતાપિતા વગેરે વડિલોની હોય ત્યાં સુધી વ્રતધારી શ્રાવકે એમની આજ્ઞાથી રકમ વગેરે લેવી. માતા-પિતો, પુત્ર વગેરે જો સમજી વિચારીને મનાઈન કરે તો વ્રતધારી તેવી રકમ આદિને તેમની રજા વગર પણ લઈ શકે છે. કરણી - ટેક્ષચોરી, લાંચ-રૂશ્વત લેવીને આપવી, ખસ્યું કાપવું, લુંટ, ધાડ પાડવી કે ચોરી કરવી વગેરે નિંદનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ન્યાયપૂર્વક વ્યવહાર કરવો. (૪) સ્વદારાસંતોષ - પરસ્ત્રીવિરમણ વ્રત સ્વરૂપ - પરસ્ત્રી, વેશ્યા વગેરેનો ત્યાગ કરવો અને પોતાની પત્ની અર્થાત્ સ્વદારાથી સંતોષ કરવો. આ ચોથું અણુવ્રત છે. પ્રતિજ્ઞા - આજીવન પરસ્ત્રી સંબંધી સ્કૂલમૈથુનનો હું ત્યાગ સારાંશ- આજીવન હું કાયાથી પરસ્ત્રીગમન નહિ કરું.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70