________________
પોતાના સમાન સંપત્તિવાળા બનાવ્યા હતાં. આ પ્રમાણે પોતાના તરફથી તથા પેલા ૩૬૦ વણિક પુત્રો તરફથી દેવગિરિ નગરીમાં સાધર્મિક વાત્સલ્યનો ક્રમ ચાલુ રહેતો હતો. થરાદમાં આવ્યુ સંઘવીએ પણ પોતાની સંપત્તિ વડે ૩૬૦ સાધર્મિક ભાઈઓને પોતાના સમાન સંપત્તિવાળા બનાવ્યા હતા. આ માટે સાધર્મિક વાત્સલ્ય દરેક શ્રાવકે વર્ષમાં એકવાર તો જરૂર કરવું જોઈએ. ૨.
યાત્રાસિક અન્ડિકા યાત્રા, રથયાત્રા, અને તીર્થયાત્રા આ ત્રણે યાત્રા દર વર્ષે કરવી જોઇએ.
અષ્ટાલિકા યાત્રા : અઠ્ઠાઈ પર્વના દિવસોમાં ધામધૂમ અને ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘની સાથે સર્વ મંદિરોના દર્શન, વંદનાદિરૂપ ચૈત્ય પરિપાટી કરવી. આને ચૈત્ય યાત્રા કહે છે. આ રથયાત્રા : યાત્રા ઉત્સવ બાદ રથયાત્રાનું વિધાન છે. વિધિપૂર્વક આડંબર સહિત હાથી, ઘોડા તથા સોના-ચાંદીના રથ પર અરિહંત પરમાત્માની પ્રતિમા પધરાવીને રાજમાર્ગો પર થઈને નગરની બહાર ઉદ્યાનમાં લઈ જઈ ત્યાં સ્નાત્રપૂજા દ્વારા વિશિષ્ટ ભકિત કરી પછી પાછા ફરવું.
તીર્થયાત્રાઃ શ્રી શત્રુંજય, ગિરનાર આદિ તીર્થો તેમજ શ્રી જિનેશ્વર ભગવંતોની કલ્યાણકભૂમિઓને પણ તીર્થ કહેવાય છે. આ તીર્થોની યાત્રા શ્રી ચતુર્વિધ સંઘ સાથે કરવી અને કરાવવી. શ્રી સિદ્ધસેન દિવાકરે જેમણે પ્રતિબોધિત કરેલા એવા રાજા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજય તીર્થયાત્રા સંઘમાં ૧૬૯ સોનાના, ૫૦૦ હાથીદાંત અને સુખડનાં જૈન મંદિર, શ્રી સિદ્ધસેન દિવાકર સહિત પ000 આચાર્ય ભગવંત, ૭૦ લાખ શ્રાવકોનાં કુટુંબ, એક કરોડથી વધુ બળદગાડીઓ, ૧૮લાખ ઘોડા, ૭૬૦૦ હાથી તથા મોટી સંખ્યામાં