Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 23
________________ - , , " " ' . સૂવાના સમયે ચિંતન કરવા લાયક મુદા (૧) મેં આજે ક્યુ પરોપકારનું કાર્ય કર્યું? (૨) મારે લીધે કોઈને દુઃખ તો નથી થયું? (૩) કરવા લાયક કાર્ય મેં ન કર્યું? (૪) મારામાં એવી કઈ કમજોરીઓ છે જેને હું છોડી શકતો નથી? (૫) લોકો મને કેવી દૃષ્ટિથી જુએ છે. અને વાસ્તવમાં હું કેવો છું? (૬) અનિત્યાદિ બાર ભાવનાઓથી ચિત્તને ભાવિત કરો. (૭) મૈત્રી, પ્રમોદ, ઉપેક્ષા અને કરુણા એ ચાર ભાવનાથી મનને વાસિત કરો. મૈત્રી ભાવના – સર્વ જીવોનું હિત ચિંતન. પ્રમોદ ભાવના – ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ * કરુણા ભાવના – દુઃખી જીવોનું દુઃખ દૂર કરવાનો ભાવ. ઉપેક્ષા ભાવના – વિરોધિયો અને દુષ્ટો પ્રત્યે ઉદાસીન ભાવ. - ઉપરોક્ત ભાવનાઓથી રંગાયેલો આત્મા અવશ્ય પોતાના જીવનમાં આધ્યાત્મિક શાન્તિનો અનુભવ કરે છે. અને આવી સ્થિતિમાં જો મનુષ્ય મૃત્યુ પામે તો પણ તેની સદ્ગતિ થાય છે. કહેવત છે કે અંત સમયે જીવની જેવી મતિ તેવી તેની ગતિ. " કામ, ક્રોધ વગેરે કષાયો આપણા અંતરંગ શત્રુઓ છે; બંને લોકમાં અહિતકારી છે. એથી એમના ઉપર વિજય મેળવવા માટે નીચે લખેલ ઉપાયો અજમાવો. જામ, ક્રોધાદિ શત્રુઓને જીતવાનો ઉપાયઃ - કામને સ્ત્રીના શરીર પ્રત્યે અશુચિભાવનાથી, ક્રોધને ક્ષમાથી, રાગને વૈરાગ્યથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી, લોભને સંતોષથી, દ્વેષને મૈત્રીભાવથી, મોહને વિવેકથી, મત્સરને પ્રમોદભાવથી, વિષયને ઇન્દ્રિયદમનથી, મન વચન અને કાયાના ૧)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70