Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller
View full book text
________________
(૬૮)
જૈન મહાભારત કર્યો હતો, પણ આખરે તેની પવિત્ર મનવૃત્તિ અને સદા ચારમાં પ્રવૃત્તિ સફળ થયા વિના રહી નહીં. તેની સમ્પ્રવૃત્તિઓ તેને વિજય આપી ભારતવર્ષની મુખ્ય રાજધાની ઉપર આરૂઢ. કર્યો અને તેની ચંદ્રિકા જેવી ઉજ્વલ કીર્તિને દશે દિશામાં પ્રકાશિત કરી, એટલું જ નહીં પણ તેના જીવિત પછી તેનું અમર નામ આ જગત્ ઉપર રાખી યાવચંદ્રદિવાકર તેનું યશોગાન ભારતીય પ્રજાની પાસે કરાવશે. આ ઉપરથી વાંચનારી તું કેટલે બધે ઉત્તમ બેધ મેળવી શકીશ?તેને વિચાર કરજે. જે તારા પવિત્ર હદયમાં એ બેધને સ્થાપિત કરીશ. તે તું તારા જીવનના માર્ગને સારી રીતે સુધારી શકીશ. કદિ આર્ય યુધિષ્ઠિરના જેવી તારામાં શક્તિ ન હોય તે તું નાસીપાસ થઈશ નહીં. છેવટે એવી પવિત્ર ભાવના ભાવીને તારા આત્માને પુણ્યને બંધ કરાવજે.
– ©એક-– પ્રકરણું ૪૬ મું.
રાજર્ષિભીષ્મ. . વિવિધ પ્રકારનાં વૃક્ષોથી વિરાજિત એવા પર્વતની ગુહામાં એક મહામુનિ બેઠા છે. પર્વતની આસપાસ અનેક જાતના કુદરતી દેખાવે નજરે પડે છે. તે સ્થળની આસપાસ શાંતિ પ્રસરી રહી છે. તેને દરેક પ્રદેશ મુનિ ધર્મના પવિત્ર

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832