Book Title: Jain Mahabharat Yane Pandav Charitra
Author(s): Devprabhsuri
Publisher: Meghji Hirji Bookseller

View full book text
Previous | Next

Page 810
________________ ધર્મઘોષ મુનિ. (૭૪૯) કહ્યું, “અરે મૂર્ખ ! આ પ્રમાણે ચૂર્ણ થઈ ગયેલ રથ સારે થવાને નથી, તું વૃથા શ્રમ શામાટે કરે છે?” તેણે ઉત્તર આ “ભાઈ ! આ તારે બંધું મરણ પામ્યા છે, તે છતાં તેને તું જીવતે ધારે છે તે આ મારે રથ પાછો સારે થઈ કેમ નહીં ચાલે?” બળદેવે તેને કહ્યું, તું મૂર્ખ લાગે છે. મારે બંધુ મરી ગયેજ નથી. તે પછી આગળ ચાલતાં શિલા ઉપર બીજ વાવી કમળ ઉગાડનાર, દાવાનળમાં દગ્ધ થયેલા વૃક્ષને સિંચન કરી પલ્લવિત કરનાર અને મારેલ ગાયના શબના મુખમાં દુર્વાના ગ્રાસ આપનાર, પુરૂષે તેના જેવામાં આવ્યા. હતા. બળભદ્દે તેમને વૃથા શ્રમ કરતા જોઈ કહ્યું હતું, તે ઉપરથી તેઓએ તેમને સામાં વચનો કહ્યાં હતાં. તે છતાં બળ ભદ્રે તેમને મૂર્ખ જ ગણી કાઢ્યા હતા. પછી થોડે જતાં બળ ભદ્રના મનમાં વિચાર થયે કે, “શું આ મારા બંધુનું મરણ સત્ય હશે?” તેવામાં એક દિવ્યમૂર્તિ દેવ આવી તેમની સામે ઉભે રહ્યો. અને તે બે -બળભદ્ર! હું તમારે સારથિ સિદ્ધાર્થ છું. તપના પ્રભાવથી હું આવા દેવસ્વરૂપને પામે છું. તમે પૂર્વે મને પ્રાર્થના કરી હતી કે “ હે સિદ્ધાર્થ ! જ્યારે હું દાનમાં આવી પડું, ત્યારે મારે ઉદ્ધાર કરજે.” એ તમારી પ્રાર્થનાનું સ્મરણ કરી હું અહીં આવ્યો છું. રસ્તામાં તમને જે જે દેખા જોવામાં આવ્યા, તે દેખાવે મારા વિકલા હતા. અને તે તમને બોધ આપવા માટેજ વિફર્ચા હતા. “ભદ્ર! પૂર્વે મિશ્વર ભગવાને જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ કહ્યું હતું, તે પ્રમાણે થયેલું છે. આહંત

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832