________________
૭. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય
જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય દેવદત્ત હતો તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય જમાલિ હતો. આ દેવદત્ત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદનાં આંતરિક કે બાહ્ય કારણો ઉપર કેટલોક પ્રકાશ પડવાનો સંભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને માલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનનો શિષ્ય હતો અને સાંસારિક સ્થિતિમાં પણ તેમનો સગો જ હતો, અને જમાલિ પણ મહાવીરનો ભાણેજ તથા જમાઈ હતો. સર્ગો અને શિષ્ય છતાં દેવદત્તને બુદ્ધ ભગવાનના શિષ્યવર્ગમાં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સંબંધમાં પણ તેમજ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પોતાના ગુરુ સમક્ષ પોતા સિવાય બીજાઓનું પ્રધાનપણું આ ત્રણે કારણો, જેનાથી સામાન્ય રીતે મતભેદનો વધારે સંભવ છે, તે ઉ૫૨થી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવદત્તે અનેક પ્રપંચો રચી બુદ્ધને મારવા કોશિશ કરી હતી તેવું જમાલિએ કાંઈ પણ કર્યું હોય તે માટે એક પણ પ્રમાણ નથી, છતાં એટલું ખરું કે દેવદત્તે અને જમાલિએ પોતપોતાના ગુરુવિરુદ્ધ પોતાનો ખાસ અનુયાયીવર્ગ સ્થાપ્યો હતો. દેવદત્ત અને માલિ પછી તેઓનો અનુયાયીવર્ગ કે તેઓના પંથનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તનો ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં ક્યાંય નથી; માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિનો ઉલલેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદત્તને સૌથી પહેલો ‘સંઘભેદક' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ ‘નિલવ' કહ્યો છે. સંઘભેદક અને નિર્ભવ બંને શબ્દનું તાત્પર્ય એક જ છે. દેવદત્ત અને જમાલિ એ બંને પોતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધર્મ પામ્યા હતા.
વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં તો જમાલિનો ઉલ્લેખ નથી જ, પણ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેનો ઉલ્લેખ એકપાક્ષિક જ છે. દિગંબરીય સાહિત્યમાં જમાલિનું મહાવીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org