Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 328
________________ જૈન જન ૦ ૩૧૯ કહેવાય. જેને આવા ગુણો મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હોય, જે એ માટે સતત પ્રયત્નશીલ હોય તે જ યુવક, જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઇચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક હો, અને ન હો તો એવા બનો ! બનવાનો પ્રયત્ન કરો! એક વખતે વૈષ્ણવ જનનું ભજન ગવાતું હતું ત્યારે કોઈએ કહ્યું કે ત્યાં જૈન જન’ કરીએ તો ? એ ભજનમાંના બધા ગુણો જૈનમાં પણ હોવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા વૈષ્ણવ જન' ને જેન જન કહીએ તો જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઈ છે. ગુણનો વિચાર જ જાણે ભુલાઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ લઈ શકે કે જ્યારે એની શાખ હોય. જેની બજારમાં શાખ હોય તે જ વેપારી. આપણી ઉંમરલાયક કન્યા આપણે કોને સોંપીએ ? જેની શાખ હોય તેને. પણ જૈનોની શાખ હવે રહી નથી. પહેલાં પૈસા વ્યાજે મૂકવા હોય તો જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જૂઠું બોલે નહિ. એવી એની આબરૂ, પણ આજે બધું અવળું થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણ જૈનોને વળગી ગયું છે, એટલે જૈનોએ પોતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જો ગુમાવી દીધી તો પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તો શાખ હોવી તે જ છે, બાકી કોઈને વગર શાખે જેને કહેવાવું હોય તો તેમને મારે કંઈ કહેવું નથી. એ જ રીતે વાળ ખેંચવા માત્રમાં કે ઉઘાડે પગે ચાલવા માત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ બની જતું નથી. બીજાની સેવાશુશ્રુષા અને શ્રમનો લાભ મળે એ પણ ગૌરસ્વાપદ વાત નથી. એથી તો ઊલટું માણસનું પતન થાય છે, અને એનો વિકાસ રૂંધાઈ જાય છે. શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે. એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ બનો, એટલું જ ઇચ્છું છું. - પ્રબુદ્ધ જીવન, ૧-૧૧-૧૯૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349