Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 330
________________ કાલિકાલસર્વજ્ઞને અંજલિ • ૩૨૧ ગુજરાતમાં લાવનાર કોણ હતું ? આજે કારમીરની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ તે કાળે તો એ પંડિતોનો દેશ હતો અને તેથી “શારદા દેશ' તરીકે પ્રસિદ્ધિ હતી. વળી અત્યારે કાશમીર સાવ નજીકનો પ્રદેશ બની ગયો લાગે છે. પણ તે સમયે તો ત્યાં પહોંચવું કે ત્યાંથી કંઈ મેળવવું બહુ દુષ્કર હતું, પણ હેમચંદ્રાચાર્યના વિદ્યા-પ્રેમ કાશમીરની સરસ્વતીને ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતમાં સમૃદ્ધ ગ્રંથભંડારો તે કાળે હેમચંદ્રાચાર્ય ન હોત તો કોણે સરજાવ્યા હોત ? આજે ગુજરાતમાં ઠેર ઠેર જે હસ્તલિખિત ગ્રંથોના ભંડારો જોવા મળે છે તે મુખ્યપણે હેમચંદ્રની વિદ્યા-ઉપાસનાને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યા અને પાંડિત્યની દૃષ્ટિએ ગુજરાતને જે અપરિચિત હતું તેનો પરિચય ગુજરાતને હેમચંદ્ર કરાવ્યો છે. એમ કહેવાય છે કે પાટણની જ્ઞાનશાળામાં હેમચંદ્ર પાસે ૭00 લહિયાઓ કામ * કરતા હતા. આજે આ યંત્રના જમાનામાં પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા કે એવા મોટા એકાદ મુદ્રણાલયને બાદ કરતાં આપણા દરિદ્ર જેવા પ્રેસોમાં આટલા કંપોઝિટરો ક્યાંય જોવા નથી મળતા, અને એ બધા પાસેથી કામ લેવામાં બીજી કેટકેટલી તૈયારીઓ જોઈએ છે ? આજની આ સ્થિતિનો વિચાર કરીએ છીએ અને આ ૭00 લહિયાઓ પાસેથી કેવળ ગ્રંથોની નકલો કરાવવાનું જ નહિ, પણ નવા નવા ગ્રંથોની રચના કરવાનું પણ કામ લેવાની હેમચંદ્રની શક્તિનો વિચાર કરીએ છીએ, ત્યારે એમના વિશદ પાંડિત્યનો કંઈક ખ્યાલ આવે છે. અલબત્ત, આમાં તેમના વિદ્વાન શિષ્યોનો સાથ અને સહકાર હશે જ, પણ આજની દૃષ્ટિએ લેખનસાધનો-કાગળો વગેરેની જબરી અછતવાળા એ સમયમાં ૭00 લહિયાઓ પાસેથી જે કામ લીધું તે અદ્ભુત છે. આપણે તો આજે કંઈ લખવું હોય તો ચાર વખત લખીએ અને ભૂંસીએ ત્યારે તૈયાર કરી શકીએ છીએ. હેમચંદ્રાચાર્યનો ગ્રંથ સૌ પહેલો મારા હાથમાં આવ્યો અને મેં એનું અધ્યયન કર્યું ત્યારથી જ હું તો એમના ઉપર આફરીન બની ગયો છું. હેમચંદ્રાચાર્યના ગ્રંથોની તે વિષયના પ્રાચીન ગ્રંથો સાથે સરખામણી કરતાં આજના કેટલાંક વિદ્વાનો તેમણે બીજા ગ્રંથોમાંથી ઉતારાઓ લીધાની વાતો કરે છે. આવા વિદ્વાનો કાં તો વસ્તુને યથાર્થપણે સમજતા નથી હોતા, અથવા સાંપ્રદાયિક કે એવા કોઈ કારણે આમ માની લે છે; પણ એ સાવ ખોટું છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તો એમાં કેટલોય વિષય અને શબ્દરચના સમાન જણાયા વગર નથી રહેતાં. જેનો એક એક શબ્દ અકાટ્ય જેવો ગણવામાં આવે છે તે શંકરાચાર્યના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુબંધુને વાંચીએ તો વસુબંધુના કેટલાય વિચારો શાંકરભાષ્યમાં નોંધાયેલા મળે છે. તો શું આ બધા ઉપર ચોરીનો આરોપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળા જોઈને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વિસરી જવું? ખરી વાત એ છે કે વિદ્યા Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349