________________
જીવનશુદ્ધિ અને ભગવાન મહાવી૨ ૦ ૨૪૭
ભગવાનની જીવનશુદ્ધિનો એટલે તેનો પડધો પાડતો સાંવત્સરિક પર્વનો પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બંને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિનો દાવો કરતા આપણે સમાજ અને રાષ્ટ્રસેવા દ્વારા એનો કેટલો વિકાસ કરી શકીએ છીએ. રસ્તો તો આજે ખુલ્લો થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેના માની લીધેલા વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરષાર્થ કરવો છે કે નહિ, એનો જ ઉત્તર આપવો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે.
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org '