________________
૨૫. શિષ્યચોરીની મીમાંસા
આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટો રહી ન શકે. બીજી બાજુ આખોય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઊથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂની નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારો ઝપાટાબંધ ચોમેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુક્ત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલો ઉપર વિચાર કરવો છોડી શિષ્યચોરી જેવા મુદ્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તો એવા ક્ષુદ્ર વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થવો સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચોરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન રોકડ્યું છે, અને એ વિષય ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છેકે નહિ?” – એના જેવો માત્ર કાલ્પનિક ચર્ચાનો વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચોરીમાં માનનારા એને શાસ્ત્રસંમત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે, એટલે શિષ્યચોરીના હિમાયતીઓ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં લોકો લગભગ આખા સાધુવર્ગને ખોજા અને પઠાણની જેમ બાળકચોર માને છે અને સીધી કે આડકતરી રીતે લોકો તેમની સાથે મનુષ્યચોર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યચોરીના હિમાયતી ગૃહસ્થો પણ પોતાનાં બાળક-બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તો આ બાબતનો ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. લોકો, ખાસ કરી સાધારણ લોકો, એમ જ માને છે કે શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લોકોના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાનો લાભ લઈ, દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહાશયો શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસંમતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમનો વિરોધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્રસંમત નથી એમ કહી તેનો ભારે વિરોધ કરી રહી છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણી વાર મારામારી અને કોર્ટે ચઢવા સુધીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org