________________
૨૦૬ - જન ધર્મ અને દર્શન ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરો વારસો તો એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતો, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગના હજારો વર્ષના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જો વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે કે તેમનો જનતાગત દારૂત્યાગનો વારસો આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગ્યો છે, તો પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે ? મંદિર અને મૂર્તિઓ ઉપર કુહાડાઓ ન પડે, ભંડારો ન લૂંટાય, પણ જો હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ જેને માટે જ મંદિરો, મૂર્તિઓ અને ભંડારો હતા) નાશ પામે, તો આપણે શી રીતે કહી શકીએ કે આપણો ધર્મ – આપણો ધાર્મિક વારસો – સલામત છે? કોઈ દુષ્ટ પુરુષ કોઈ બાઈનાં ઘરેણાં, કીમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા સિવાય જો તેની પવિત્રતાનો નાશ કરે તો તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણોમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નૈતિક જીવન ભ્રષ્ટ કરો, અને કાં તો મંદિર, મૂર્તિ અને ખજાનો મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જો આ બેમાંથી એક જ માગણી પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તો તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાનો સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને ખજાનો બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તો તે શો ઉત્તર વાળશે ? હું નથી ધારતો કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતો હોય. આપણા દેશના ઇતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પોતાના પવિત્ર સંસ્કારો સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સોંપ્યા છે. એમણે દીર્ઘ દૃષ્ટિથી જોયું કે જો શુદ્ધ સંસ્કારો કાયમ હશે તો બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે; અને એ નહિ હોય તોપણ પવિત્ર જીવનની વિભૂતિથી કતાર્થ થઈશું. કાલકાચાર્ય કોઈ સ્કૂલ માલમિલકત માટે નહોતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓનો ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગનો વારસો જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org