________________
૧૪૨ • જૈન ધર્મ અને દર્શન લેનાર-છોડનારનું પરિમાણ ઉમર પરત્વે કેટલું. તેમજ લેવાનાં અને છોડવાનાં. ખાસ કરીને છોડવાનાં કારણોની સરખામણી. આ યાદીમાંની દર સો વ્યક્તિઓમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પોતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પોતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં બંને પક્ષો એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છોડવાનાં કારણો પરત્વે ખાસું જાણવાનું મળશે. અને ઉંમર તેમજ વડીલોની સંમતિ પરત્વેની તકરારનું મૂળ અસલમાં
ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે. ભલે બંને પક્ષો ચાલુ રહે, છતાં તેઓ એકસરખી રીતે જે સાધુજીવનમાં પવિત્રતા જોવા ઇંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છોડવાનાં કારણો ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીઓ કાંઈ કોઈ દીક્ષા છોડી જાય અથવા વંઠી જાય એમ તો ઇચ્છતા જ નથી, એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂલોચ્છેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છોડનારની વિગતવાર તેમજ પ્રમાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામોની સંખ્યામાં ભલે અધૂરી હો, પણ હકીકતમાં જરાય ખોટી ન હોવી જોઈએ. કદાચ આ યાદી એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તો તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમજ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી, કદાચ તેઓ આ યાદીને નહિ અટકે તોપણ લોકમત તેમને
એનો વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બે-ચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામો આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે, અને બીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેનો વિરોધ કરે છે, તેને બદલે બંનેનું લક્ષબિંદુ મૂળ કારણો તરફ જશે, અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણા થશે.
દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઊંડા ન ઊતરીએ તો ચર્ચાને અન્યાય થવા સંભવ છે. દીક્ષા દેવાની તરફેણનો વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા. આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકોને જે દીક્ષા આપી હતી, તેમજ ત્યાર પછીના વજ, હેમચંદ્ર અને યશોવિજયજી જેવાઓએ બાળદીક્ષાને પરિણામે જે મહાનુભાવતા મેળવી હતી. તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. વળી બીજો સામેનો પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org