________________
વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૯ ક્ષેત્રમાં વીરપરંપરાના પ્રતિનિધિ તરીકે ભાગ્યે જ સ્થાન રહેશે. એ દષ્ટિએ વિદ્વાનો અને ઐતિહાસિકોમાં તેમની પ્રતિષ્ઠા ભાગ્યે જ બંધાશે.
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરને કોઈ અન્તઃસ્ફરણા એવી થઈ કે તેમનું જિજ્ઞાસુ માનસ સ્થાનકવાસી ફિરકાના અલ્પમાત્ર આગમિક સાહિત્યમાં સંતુષ્ટ ન રહી શકહ્યું. તેઓ ઇચ્છતા તો સ્થાનકવાસી ફિરકો છોડી દિગંબર ફિરકાને અપનાવી, તેમાં પણ પ્રતિષ્ઠા મેળવી, કાંઈક વધારે પ્રમાણમાં જિજ્ઞાસા સંતોષી, વિદ્યોપાસના દ્વારા વીરપરંપરાનું સમર્થન કરી શકત; પણ મને એમ લાગે છે કે એ સૂરિના ભવ્ય અને નિર્ભય આત્મામાં કોઈ એવો ધ્વનિ ઊઠ્યો કે તેણે તેમને વીરપરંપરાનું અપેક્ષાકત અખંડ પ્રતિનિધિત્વ ધરાવનાર ફિરકા તરફ જ ધકેલ્યા. અને આપણે જોઈએ છીએ કે એમણે જિંદગીનાં થોડાં વર્ષોમાં, ખાસ કરી. છેલ્લા ભાગનાં અમુક વર્ષોમાં, આખું જૈન સાહિત્ય મથી નાખ્યું, તેમાંથી નવનીત તારવ્યું જે તેમના જ શબ્દોમાં વિદ્યમાન છે.
- શ્વેતાંબર ફિરકો, આચાર, ઉપાસના અને શાસ્ત્રોની દષ્ટિએ બીજા બે ફિરકાઓ કરતાં રપરંપરાની વધારે નજીક છે એ વાતની અગર વિજયાનંદસૂરીશ્વરે સ્વીકારેલ શ્વેતાંબરીય પરંપરાના ચડિયાતાપણાના ખ્યાલથી જો કોઈ સાંપ્રદાયિક શ્વેતાંબર ગૃહસ્થ કે સાધુ ફુલાઈ સહેજ પણ બીજા ફિરકાઓ તરફ તુચ્છત્વ કે અવગણના પોષતી અભિમાનવૃત્તિ સેવશે તો તે સત્ય ચૂકશે; કારણ કે, શ્વેતાંબર માનસ અપેક્ષાકૃત ગમે તેટલું ઉદાર રહ્યું હોય, છતાં એની વિદ્યોપાસના પણ આજકાલની દૃષ્ટિએ બહુ જ એકદેશીય અને અલ્પસંતુષ્ટ છે, એ નથી સમગ્ર બૌદ્ધ પરંપરા અવગાહતું. શ્વેતાંબર પરંપરાની ભૂતકાલીન ઇતિહાસ અને વર્તમાન જવાબદારીનો વિચાર કરું છું ત્યારે તેના
દે નિર્દી અને અલ્પસંતુષ્ટ માનસને કંઈક કહેવાનું મન થઈ જાય છે. હું અત્યારના ધુરીણ ગણાતા સમગ્ર શ્વેતાંબર આચાર્યો અને વિદ્વાનોને નમ્રભાવે એટલું જ અંતમાં કહેવા ઈચ્છું છું કે શ્રીમાન આત્માનામજીએ પ્રારંભેલી અને અધૂરી મૂકેલી વિદ્યોપાસનાને વર્તમાન વિશેષ કીમતી સાધનો અને સુલભ સગવડો દ્વારા લંબાવી અત્યારના ઉન્નતતર. ધોરણને બંધબેસે એવી રીતે વિકસાવે.
- શ્રી આત્મારામજી શતાબ્દી ગ્રંથ, ૧૯૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org