Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 69
________________ ૫૯ ખર ઉપકારી પંડિતવર્ય ૢ પૂ.સા. શ્રી જયન્તપ્રભાશ્રીજી, મ.સા. ≈ (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન-વચન-કાયાથી જેઓ સમર્પિત થયા છે, તેઓના જીવનમાં કેવું તેજ-બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે, તેવાં નજીકના ઉદાહરણમાં શ્રુતજ્ઞાની પંડિતવર્યનું નામ આવે છે. જ્ઞાન પુષ્પાંજલિ તેઓ ભાભર ગામના વતની હતા. બાલ્યવયમાં તેઓ મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા, ત્યાં તેઓની કોઈ પૂર્વજન્મની આરાધના એવી વિશિષ્ટ હતી કે જેથી અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓની બુદ્ધિ અને ગ્રહણશક્તિ વિશેષ હતી. તેથી સિદ્ધહેમ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિ વિષયોનો થોડા સમયમાં અભ્યાસ કરી તૈયાર થઈ ખંભાત આવ્યા. સાધુ - સાધ્વીજી ભગવંતોને બહુમાનપૂર્વક ભણાવવા લાગ્યા. જ્ઞાનની પરબ ચાલુ થઈ. તેમાં સ્વભાવકૃત્ ગુલાબના પુષ્પરૂપ નિઃસ્પૃહતા-નિખાલસતા અને નીડરતા આ ત્રણગુણ જીવનમાં ઠાંસી-ઠાંસીને ભરેલા હતા. જ્ઞાનને આત્મસાત્ કરેલું હતું. અમારા જેવા પામર આત્માને વારંવાર કહેતા કે સ્વાધ્યાય સમાન તપ નથી. સ્વાધ્યાય સંજીવની ઔષધિ છે. એવા પરમઉપકારી, જ્ઞાનદાતા પંડિતજી સુંદર અભ્યાસ સાથે અનુભવ જ્ઞાન ઘણું આપતા. સંસારના ઘણા ઘા લાગવા છતાં હાય-વોય કરી નથી. કર્મબંધનથી નિર્લેપ રહેતા. આવા મહાન્ આત્મા વિરલ વિભૂતિ બની ગયા. દેહથી ચાલ્યા ગયા. પણ કીર્તિથી અમર બની ગયા. પ્રકૃતિએ આપણને બક્ષેલું જીવન ઘણું ટૂંકું છે પણ સારીરીતે વ્યતીત કરેલા જીવનની સ્મૃતિઓ શાશ્વત છે. Jain Education International તેઓના સમાચાર પવનવેગે સાંભળતાં વજ્રઘાત પડ્યો તેટલું દુઃખ થયું પણ કુદરત આગળ તો દેવાધિદેવનું પણ ચાલ્યું નથી. જન્મ છે ત્યાં મરણ છે જ, છતાં અમારા જ્ઞાનદાતાને અમે ક્યારે ભૂલવાના નથી. આવા પ્રખર વ્યક્તિના ગુણોનું વર્ણન,આ જીભ કરવાને સમર્થ નથી. તેઓને અંતિમ જીવન સંયમ માર્ગમાં પસાર કરવાની ભાવના હતી. સાંસારિક સંયોગોના કારણે પોતે સંયમ ન લઈ શક્યા. તેઓની અંતિમ ભાવના હતી કે મારું સમાધિ મરણ થાય તો સારું, ભાવના અનુસાર પોતે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી નવકારમંત્રનું સ્વયં સ્મરણ કરતાં આ નશ્વરદેહનો ત્યાગ કર્યો. તેઓનો આત્મા જ્યાં ગયો હોય ત્યાંથી એમના જ્ઞાનનો અને ગુણોનો વારસો આપતા રહે. ઉત્તરોત્તર પ્રભુ શાસનને પામી જલદી-જલદી શાશ્વત સુખને પ્રાપ્ત કરે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188