Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭0 )* *
*
*
*
* * * *
* આ બr - - - ૧૫ : - + .
( શાનપુણ્યા
વરેલા હતા. મહેસાણા પાઠશાળાને પોતાની માતા સમાન માનનાર પંડિતજીએ પાઠશાળાની ખૂબ જ સારી સેવા પૂરી પાડી હતી.
ભણાવવા બેસવા જતાં જ મૃત્યુ તે ખરેખર પંડિત મૃત્યુ છે. સમાધિમૃત્યુને વરેલા આ પંડિતજીની જૈનશાસનને મોટી ખોટ પડી છે. મને સારા આત્મીય મિત્રની, તેમજ અમારા સત્તર ગામ સમાજને સાચા એક માર્ગદર્શકની પણ મોટી ખોટ પડી છે. આવા વિદ્વાન્ નજીકના ભવિષ્યમાં થશે ખરા?
वंदन होजो ते मा सरस्वतीना पनोता नंदनने !
ઈચ્છવા જોગ અભિલાષા
(વૈતાતીય ઇંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुद्धया गिरा ।
पुलकैर्निचितं कदा वपुः,तव नामग्रहणे भविष्यति ॥ ક્યારે પ્રભુ ! તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે,ક્યારે પ્રભુ! તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ગદ્ બને; જ્યારે પ્રભુ! તુજ નામશ્રવણે, દેહ રોમાંચિત બને,ક્યારે પ્રભુ ! મુજ શ્વાસ–શ્વાસે, નામ તારુંસાંભરે.
હે વિભુ! બસ, આ જ ઝંખના છે. તારાથી જ તે પાર પડશે. હવે તો મેં મુદ્રાલેખ હૃદયમાં કોરી રાખ્યો છે : તને કદી તણું નહીં, બીજાને કદી ભજું નહીં. તારી કૃપા મળે તો, તારી કૃપાના બળે તારી કૃપા ફળ એટલે... એટલે ગુમાવેલું બધું મારું મને પાછું મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org