Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
: “નમીને” એ પૂર્વકાળ દશક અને ઉત્તરકાળની ક્રિયા સાથે સંબંધ રાખનાર એ રીતે સ્યાદ્વાદરૂપી સિંહનાદ સમાન પદે કરીને એકાંત નિત્ય તથા એકાંત અનિત્ય વરતુ સ્થાપન કરનાર વારિ પ્રતિવાદરૂપ બન્ને હરનું સુખ બંધ કરેલ છે.
.. यतो नैकांतेन नित्योऽनिलो वा कर्ता क्रियाद्वयं कर्तु मीटे क्रियाभेदे कई भेदाद, ततो द्वितीयक्रियाक्षणे कर्तु रनित्यनित्यत्वाभानप्रसंगाभ्यां दयो रप्यपाति रिति ।
કારણ કે એકાંત નિત્ય અથવા એકાંતઅનિત્ય કર્તા જૂદી જૂદી છે ! ક્રિયા કરી શકે નહિ, કેમકે જુદી જુદી ક્રિયા થતાં કર્તા પણ જાદા જુદા થઈ જાય. તેથી બીજી ક્રિયા કરવાના ક્ષણમાં કને કાં તે અનિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પડશે અથવા તે નિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પહશે એ રીતે બે પ્રસંગોએ કરીને એકાંત નિત્યપણું તથા એકાંત અનિત્યપણાનું ખંડન કરવું
• હવે વિશેષણને ભાવાર્થ બતાવતાં ચાર અતિશય જણાવે છે.
* આ ન્યાયની પંક્તિ છે. માટે તેને વિશેષ અર્થ જણાવીયે છીયે. જે વસ્તુને એકાંત નિત્ય માનીયે તે નિત્ય વસ્તુ હમેશાં એક સ્વભાવે રહે તેથી તેજ પદાથે એક ક્ષણે એક ક્રિયા કરી બીજે ક્ષણે બીજી ક્રિયા નહિ કરી શકે તેમજ જે એકાંત અનિત્ય માનિયે તે પદાર્થ ક્ષણ વિનાશી થતાં બીજે ક્ષણે શી રીતે બીજી ક્રિયા કરી શકે તેથી એકાંત અનિત્ય વાદિને તેજ પદાર્થ બીજે ક્ષણે બીજી ક્રિયા કરતો બતાવી તેણે માનેલા અનિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પાડી તેનું ખંડન કરવું અને એકાંત નિત્ય વાદિને તે જ પદાર્થ બીજે ક્ષણે બીજી ક્રિયા કરતે બતાવી સ્વભાવ ભેદ સિદ્ધ કરી તેણે - ભલા નિત્યપણાના અભાવને પ્રસંગ લાગુ પાડી તેનું ખંડન કરવું.
માટે સારાંશ એ છે કે જે સ્યાદવાદથી વસ્તુને નિત્યનિત્યપણું માનીયે તે જ હું આમ કરીને આમ કરું છું.” એમ એક કે બે ક્રિયા સાથે જોડાઈ શકાય, માટે આવી જાતના વામથી સ્યાદાદની સિદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org