Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 230
________________ ૨૧૭ ગંદગી સાથે અમને શું ? અમારે તો માત્ર ઉપાશ્રય કે એકાંત સ્થાનમાં રહીને, પોતાના જ આત્માનું ચિંતન કરવું જોઈએ. દુનિયામાં જેને આત્મા તરવાને છે તે તરશે, જે અમે જગતના બધા ગદવાડમાં જશું તે અમને પણ ગંદવાડ વળગી જશે. માટે તેનાથી દૂર રહેવું સારું છે. આ એકાંગી અધ્યાત્મવાદની દષ્ટિ તે છે જ; પણ તે અપૂર્ણતાનેય જાહેર કરે છે અને સાથે પલાયનવાદી મનવૃત્તિ સૂચવે છે. જે આત્મા પોતે પવિત્ર છે તે કઈ રીતે અશુદ્ધ થઈ શકે ? અને અશુચિના ડરે જગતના કલ્યાણથી કઈ રીતે ભાગી શકે ! ડોકટર રોગીના કીટાણુઓ પોતાને લાગશે એમ કરીને ડરે રોગીને ન અડે તે એ ડોકટર નથી; કાં તે એ સહૃદયી નથી એમજ માનવું રહ્યું. મા પિતાના બાળકની અશુચિ જોઈ તેને પડતું મૂકતી નથી; “ પણ બિચારૂ ગ૬ પડયું છે; લાવ ને સાફ કરી દઉં” એવા પ્રબળ વાત્સલ્ય પ્રેરાઈને તેને સાફ કરે છે. ત્યારે અધ્યાત્મવાદી વિધવત્સલ જગત માતા છે; તે જગતરૂપી સંતાન ઉપર ક્યાંયે ગંદવાડ કે અશુચિ હશે તે તેને દૂર કરતા અચકાશે નહીં ! જે તે અચકાય તે તેને આધ્યાત્મિક કોઈ કહેશે જ નહીં. ગાંધીજીને કોઇ એ કહ્યું : “આ૫ આધ્યાત્મિક ક્ષેત્ર છેડીને આ રાજકારણના ગંદવાડમાં કેમ પડયા ?” ત્યારે તેમણે કહ્યું: “જ્યાં ગંદવાડ છે ત્યાંજ આધ્યાત્મિકનું સાચું ક્ષેત્ર છે. ને હું એ કામ ન કરે તે ગંદવાડ વધશે અને મને તેમજ દુનિયાને દુઃખદાયી થશે. એટલે રાજકીય ક્ષેત્રને ગંદવાડ દૂર કર્યા સિવાય મને મોક્ષ મળવાને નથી.” સાચે આધ્યાત્મિક પિતાની જાગૃતિ રાખી એ અશુદ્ધિ અને ગંદવાડને દૂર કરશે. દીવો અંધારામાં નહીં પ્રકાશે તે તેની ઉપયોગિતા શું? ભગવાન મહાવીર અનાર્ય પ્રદેશોમાં ગયા; ત્યાં કરતાં અને અસંસ્કારિતાઓથી ભરેલા લોકો હતા. ચંડકૌષશિક સપ પાસે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278