Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 236
________________ ૨૨૩ યુદ્ધો, અણુપ્રયોગો કે ભીંસી નાખતા ભયાનક વાદે ને દૂર કરવા અહિંસક રીતે પ્રયત્ન કરશે. એટલે કે તે માનવના સર્વ ક્ષેત્રે શુદ્ધિ કરવા ભથશે, આજ સાચા આધ્યાત્મિક આત્માની ઓળખાણ છે અને આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપગિતા છે. ચર્ચા-વિચારણું સાધુઓનું મુખ્ય ક્ષેત્ર એટલે આધ્યાત્મિક્તા પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને આરંભ કરતાં કહ્યું? બધા ક્ષેત્રોમાં અને બધા આશ્રમમાં સર્વોપરી સત્તા સાધુ સંસ્થાની છે. કારણકે, તેઓ જ સંપૂર્ણ ત્યાગી, સર્વથામુક્ત અને નિર્લેપ રહી શકે છે. પણ તેમાંયે આધ્યાત્મિક ક્ષેત્ર તો એમનું આગવું જ ગણાય. જગત, આત્મા અને બ્રહ્મ એ ત્રણ વસ્તુઓ મુખ્ય છે. તેમાં પણ આત્મા સૌથી મુખ્ય છે. આત્મા હાથમાં આવે તે આખું જગત હસ્તા મલકવત” બને. એવા આત્માની શોધમાં સહુથી પહેલા પ્રયત્ન અને સતત પુરૂષાર્થ સાધુસંતોએ કર્યો. “આત્મા વારે શાતબે, મતબે, નિદિધ્યાસિતવ્યઃ ” એટલે કે આત્મા શ્રવણયોગ, ચિંતવવા યોગ્ય અને અખંડ સ્મરણીય છે. આત્માનું તળિયા લગયું ઊંડું જ્ઞાન એટલે અધ્યાત્મજ્ઞાન તેને લગતાં જ પ્રસ્થાનત્રયી; જૈન આગમ અને બૌદ્ધ પિટકો વ. ગ્રંથ છે. આધ્યાત્મિક ક્ષેત્ર સવિશેષ નિવૃત્તિ માગે છે અને તેવી નિવૃત્તિ સન્યાસ સિવાય સંભવતી નથી. જગત અંનતકાળથી કમ અથવા માયાથી ભરમાયું છે. તેમાંથી આત્માનું પિતાનું તત્વ શોધી સંસારના દરેક ક્ષેત્રે માર્ગદર્શન કરવાનું છે. આ કામ અધ્યાત્માના પાયા વગર ન બની શકે. જનકવિદેહી, રામ કે કૃષ્ણ જેવા તે તે યુગના શ્રેષ્ઠ પુરૂષો થયા પણ તે કાળે વશિષ્ઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278