Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 240
________________ રર૭ સમજાવટથી પ્રશ્નો પતે એવી ભૂમિકા ઉત્પન્ન થઈ છે. એટલે તપ-ત્યાગની શક્તિનું અનુસંધાન વિશ્વના પ્રશ્નો સાથે કરવું પડશે. “તપ એ સ્વ–પર ક૯યાણ માટે શુદ્ધિનું મોટું સાધન છે. એને જગતના આત્માઓ સાથે અનુસંધાન થાય તે આધ્યાત્મિક પ્રકાશ થાય. શ્રી. ચંચળબહેન : “વૈદિક ધર્મો જયારે યજ્ઞની શકિતને સ્વર્ગના ફળ તરફ વાળી ત્યારે જગતમાં ભૌતિક દષ્ટિ વધી; કારણ; સમાજને બ્રાહ્મણ વર્ગ એ તરફ વળે. ભગવાન મહાવીરે અને બુદ્ધ ફરી તપત્યાગ અને અધ્યાત્મની પ્રતિષ્ઠા કરી અને શંકરાચાર્યે એજ અધ્યાત્મના માર્ગે બ્રાહ્મણોને પણ પુનરૂદ્ધાર કર્યો. તેમણે શ્રગેરીપુર, જગન્નાથ, હરદ્વાર અને દ્વારકા એ ચારે ભારતના ખુણાઓમાં ધર્મ-દીપના ધામે પ્રગટાવ્યા અને આધ્યાત્મિક માર્ગને અજવાળી નાની ઉમરે જીવન લીલા સંકેલી લીધી. શ્રી. સુંદરલાલ : “આધ્યાત્મિક ક્ષેત્રમાં સર્વધર્મ સમવય અને માનવ એકતા મુખ્ય બની રહે છે. એટલે જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની ક્રાંતિને વિચાર કરીએ છીએ ત્યારે બ્રાહ્મણ-ધર્મને પુનરૂદ્ધાર થયે એના બદલે વૈદિક ધર્મને બૌદ્ધધર્મના નિમિત્તે ચાલના મળી તેમ ગણીએ તે વધારે યોગ્ય થશે. આજે સાધનને સાધ્ય માનવામાં આવે છે, તેથી જ આખો ગૂંચવાડે પેદા થઈ ગયું છે. સાધુસંસ્થાએ પિતાના આજના સ્વરૂપમાં યુગાનુરૂપ ફેરફાર કરવા પડશે તેમજ તેનું સાચું તેજ વધશે; અને તેની જવાબદારી સાર્થક થશે.” શ્રી. બહાચારી : “વાયુ અને આકાશથી પણ સક્ષ્મ એવી આધ્યાત્મિક્તા વ્યાપક અને સર્વત્ર, અવ્યકત જગતમાં પડી છે. તેને વ્યક્ત જગત સાથે તાલ મેળવવો પડશે. સાધુસંસ્થા જ વિરકત હોય છે સાધુ થયા બાદ તેને મરણને ભય હોતો નથી, નિંદા કે પ્રશંસાની તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278