Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૦ ચર્ચા-વિચારણા સર્વાગી ક્રાંતિકાર એટલે સાચે સાધુ! મી, માટલિયાજીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ધાર્મિક, સામાજિક આદિ, કોઈપણ પ્રકારની સર્વાગી ક્રાંતિના ક્રાંતિકાર તરીકે સાધુસંસ્થાના સભ્યો જ વધારે સાંપડશે. તેનાં થોડાંક ઉદાહરણ જોઈએ – ખ્રિસ્તી ધર્મમાં શબ્દ મૂઢતા હતી. પિપ કહે તે જ સાચું. પણ એ ફતવા સાથે પિતાને જાત અનુભવ બંધબેસતો ન લાગે એટલે માટન લ્યુથરે ક્રાંતિ પિકારી એજ રીતે ખ્રિસ્તી સાધુઓ પરિગ્રહી, વિલાસી, સ્થવિર અને આળસુ થયા ત્યારે સંત ક્રાંસિસે ક્રાંતિ પિકારી અમે ગરીબાઈ. સંયમ, પવિત્રતા તેમજ પરિશ્રમભરી ભકિત બતાવીને કહ્યું: “નહીં તે સાધુસંસ્થા લોકહૃદયમાંથી ઉખડી જશે !” આપણે ત્યાંને વેદિક ધર્મને તાજો દાખલો લઈએ. મૂર્તિપૂજાની બોલબાલા અને શ્રાદ્ધ વગેરેના બ્રાહ્મણના લાગાઓ થઈ ગયેલા ત્યારે ધર્મમાં પડેલા કચરાને દૂર કરવાનું, ધર્મની શુદ્ધિ કરવાનું અને સંશોધન કરવાનું કામ સન્યાસી દયાનંદ સરસ્વતીએ કર્યું. જો કે તેમણે વેદ ઉપર જોર આપ્યું અને વૈદિક ધર્મને પ્રાચીન બનાવવા પ્રયાસ કર્યો, તે આજની દૃષ્ટિએ બંધબેસતું ન લાગે. કદાચ તે કાળે જે લોકમાનસ હતું તેને દઢ કરવા એમણે એ પ્રયાસ કર્યો હોય. પણ, તેમણે જબર્દસ્ત ધમતિ કરી એમાં શા કા નથી. સાધુને પાકાર પડે - સાધુ-પુરૂષ ક્રાંદ્રષ્ટા અને સ્વ પર ગુણ વિકાસમાં બાધક, કોઈપણ તત્વ આવે-મૂઢભક્તિ, શુષ્કજ્ઞાન કે અકર્મણ્યતા-તે તરત તે વિકાર પાઆવા સાધુઓ દરેક ધર્મમાં અને દરેક દેશમાં દેખાયા વગર રહેતા નથી. એવી જ રીતે શીલ, સદાચાર, નીતિ જેવા પાયાના સામાજિક સદગુણેના બદલે ધનની પ્રતિષ્ઠા વધવા માંડે કે કાંતિપ્રિય સાલ ઝડ હાથમાં લઈ તેને ગૌણ બનાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278