Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 254
________________ ૨૪૧ યોગી આનંદધનને દાખલો લઈએ કે આપણને એ તરત જણાઈ આવશે. સત્ય ઉપર શબ્દના જાળાં બાઝે, ગુરુ પરંપરામાં અંધશ્રધ્ધા દાખલ થાય અથવા ચારિત્ર્યના બદલે પર કે ચમત્કારની બેલબાલા થાય; મતલબ કે ચારિત્ર્ય રૂપી આગ પર રાખ ચઢી જાય કે તે સાધુ પુરુષ તરત તેને ઉડાડી નાંખે. સત્ય પ્રકાશ અને હૂંફ આપે છે તેના બદલે તેને ભળતા અર્થોમાં ખપાવી, વાપટુતાને વિષય બનાવી; આચરણમાં આંખ આડા કાન કરવામાં આવે ત્યારે આવા પુરૂષો સત્યનું આચરણ કરી તેને આચરાવે છે. આજની દશા જોઈએ તે મહંમદ કે ઈશુએ કહ્યું તે જ સાચું અને બાકી બધા કાફરો ગણાય, એવું મુસલમાનો કે ખ્રિસ્તીઓ ગણે; અથવા દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ કાળની કસોટીની મૂળ વાત ભૂલી શબ્દ ઉપર જ સર્વ પણ આરોપ કરી જૈને પણ બીજાને નાસ્તિક કહે તે દેશ અને દુનિયાની શી દશા થાય? ખરેખર તે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીનું હૃદય, કરૂણા, પ્રેમ અને સત્યથી લાગણીથી છલકાતું હોય છે. એનું હૈયું વિશ્વના પ્રાણીઓ સાથે સહસંવેદન કરી પિગળે છે. ધર્મમાં કઠોરતા આવે ત્યારે તે નમ્રતા ભરતે હોય છે. ટુંકમાં સાધુમાં; (૧) નિત્યગુણ વિકાસ વૃત્તિ, (૨) સત્યાગ્રહી વૃત્તિ, અને (૩) કરૂણ પ્રધાન વાત્સલ્ય તે હેવાં જ જોઈએ. ઘણીવાર આ ત્રિવેણી ઘણુ સાધુઓમાં જોવા મળે છે. પણ શૌયને અભાવ, તેમને શંતિપ્રિય થતાં રોકી રાખતાં જણાશે, શૌર્ય ગુણ ઢીલો પડ્યો કે તરણતારણ બિરૂદ ગયું. શીખેમાં અર્જુનદેવ વગેરેએ પ્રાણ તેમા. જ્ઞાનદેવના પિતાએ સમાધિ લીધી. આવા સંત ઘણા છે પણ શકિત મર્યાદિત હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278