________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી સંસારના ભોગ-પદાર્થોનું પણ એવું જ છે. માનવી તેને રંગીન ચશ્માંથી જેવા ટેવાઈ ગયે છે. આથી તેને બંગલા અને મેટરમાં સુખ દેખાય છે. રૂપમાં તેને સંતોષ જણાય છે. સગવડો અને સાધનામાં તેને શાંતિ લાગે છે.
પરંતુ વાસ્તવમાં આ બધે નજરને ભેદ છે. ના બંગલા-મેટરમાં સુખ છે, ન પ્રતિષ્ઠા અને પ્રેમમાં. સંસારના ભેગ-પદાર્થો તે જડ છે.
જડ પદાર્થોમાં આપણે મારાપણાનું આરોપણ કરીએ છીએ તેથી તેમાં સુખ છે એમ જણાય છે. બાકી એ પદાર્થોમાં સ્વયં સુખ આપવાની કોઈ જ તાકાત નથી.
આથી જ જીવનને તથા સંસારના ભેગ-પદાર્થોને માત્ર આત્માની નજરે જુઓ, સફેદ કાચથી જુઓ. વાસના અને કામનાના રંગીન કાચથી ન જુવે.
આત્માની નજરે જે જુવે છે તેને સંસારના કેઈ જ ભેગ-પદાર્થોમાં સુખ નથી જણાતું. તે આત્મસાધક તે એવા સુખાભાસથી સદાય દૂર જ રહેવાને.
For Private And Personal Use Only