________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ જ તપ
જૈનધર્મમાં તપનું મોખરાનું સ્થાન છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી ઘેર તપ કર્યું હતું. આત્માના વિકાસ માટે તપ અનિવાર્ય અને આવશ્યક છે. તપથી આત્મા ઈલેસ્ટીક બને છે.
૨મ્બર બધા જ ખેંચીને લાંબા પહેળા નથી કરી શકાતા. એ ચેમ્બર પરિપકવ ન બને ત્યાં સુધી તેમાં ઈલેટીસીટી નથી આવતી. ઈલેટીક રબર બનાવવા માટે તેમાં જરૂરી રસાયણ મિશ્ર કરવા પડે છે. તેમ કરવાથી રબ્બર ખેંચી શકાય છે, ફુલાવી શકાય છે.
આત્માના સાધક માટે આ સમજવા જેવું છે. મનને આત્મા સુધી લઈ જવું હશે તો એ મનને તપાવવું પડશે. તપથી મન હળવું બને છે.
આત્માને પામવાનું તપ કરવાથી એ તપ – એ સાધના સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે.
આ તપ માત્ર શરીરને સૂકવવા નથી કરવાનું. આખો દિવસ ખાધું નહિ તેટલા માત્રથી ઉપવાસ થઈ જતો નથી.
For Private And Personal Use Only