Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિતનની કેડી હોય કે પ્રમાદમાં હોય ત્યારે આ શત્રુઓ જીવનના તમામ સીમાડાથી દોડી આવીને જીવનમાં અરાજકતા ફેલાવે છે. આ આંતરિક શત્રુઓ આત્માને ગુલામ બનાવી જીવનમાં મન ફાવે તેમ વર્તે છે અને જીવન બિસ્માર અને બરબાદ બની જાય છે. આઝાદ રાષ્ટ્રને નાગરિક આઝાદી-પ્રિય જ હોય. જીવનને ગુલામીની જંજીરમાં ન બાંધે, ન વ્યસનોના ગુલામ બને. ન વાસનાના દાસ બનો. કષાયાના કેદી ન બને. પ્રમાદને પરાધીન ન થાવ. લેભથી લાચાર ન બને. માથાથી મજબૂર ન બનો. તમારા જીવનને આઝાદ અને સ્વતંત્ર બનાવવું હોય તે આત્માનું સતત, સાવધ અને જગતપણે રક્ષણ કરે. અધ્યાત્મની એવી કિલ્લેબંધી કરો કે તેને દુગ અને દરવાજા, તેના ગુંબજે અને ગોખલા જોઈને જ શઓ છળી ઊઠે. જીવનના તમામ ક્ષેત્રે, મનના તમામ તારંગા પર ચમ, નિયમ, સંયમ, સંવેગ, વૈરાગ્યની અડીખમ ચોકી ગોઠવે. અને તેને કાયમી હુકમ આપી રાખો કે શત્રુ દેખાય કે તરત જ તેને ઠાર કરે. ૧૧૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146