Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 144
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. v A TY li J, ૭૨ જ માનવતા બજારમાં હજારે પ્રકારને માલ વેચાય છે. આ વેચાતા માલ ઉપર લેબલ પણ હોય છે. લેબલ વિના પણ ઘણે માલ વેચાય છે. લેબલથી માલ ઓળખાય છે. લેબલથી ખરીદનાર સમજી શકે છે કે આ માલ અમુક છે અને અમુક કંપનીએ તે બનાવ્યો છે. લેબલ માલની ઓળખ કરાવે છે. પણ લેબલ પિતે માલ નથી. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મ નથી, એ બધા લેબલ છે. તેનાથી કહી શકાય છે અને ભેદ પાડી શકાય છે કે આ જૈન છે, તે હિન્દુ છે. મહત્વ આ લેબલનું નથી. લેબલ તે માલને પાછળથી લાગે છે. પહેલાં તો માલ હોય છે. આ બધા ભિન્ન ભિન્ન લેબલવાળા ધર્મોની પહેલાં પણ એક તત્વ છે, તે છે માનવતા. માલ લેબલ વિના પણ વેચાય છે, ખરીદાય છે. માનવ પણ આવા લેબલવાળા ધર્મ વિના જીવે છે. ૧૨૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146