________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ જ વીજળી
લેખંડના, તાંબાના તારમાં પ્રકાશ છે, અજવાળું છે. અંધકારને ભેદવાની તેનામાં તાકાત છે. આ તાંબાના તારને વૈજ્ઞાનિક સ્પર્શ આપવાથી તે વીજળી ઉત્પન્ન કરે છે. વીજળીઘરમાંથી આ તાર શહેરના અનેક ભાગોમાં, રસ્તાઓ પર, મકાનની ઉપર, મકાનની અંદર પ્રકાશ પાથરે છે. તારમાં રહેલે વીજળીને કરન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને રેશની કરે છે.
સાધુઓ પણ હરતા ફરતા વીજળી-કરન્ટ જેવા છે. સંસારી તેમનાં સંપર્કમાં આવે છે તે તેમના સંગથી, તેમના સાન્નિધ્યથી સંસારીનું આત્મિક જીવન આલેક્તિ બને છે. - સાધુ સંસારીના જીવનના અંધકારને દૂર કરે છે. તેના અંધારા અંતરમાં આત્માનો પ્રકાશ પાથરે છે.
લાઈટ” વિનાના ઘરમાં રહેવાનું આજે કઈ જ પસંદ કરતું નથી. સૌને “લાઈટ” જોઈએ છે. પ્રકાશ જોઈએ છે. અજવાળું જોઈએ છે. જન વ્યવહાર ચલાવવા માટે “લાઈટ” આજ જરૂરી બની ગઈ છે. પણ આ લાઈટથી અંતરના અંધારા દૂર નહિ થાય.
For Private And Personal Use Only