________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ જ પ્રતીક
રૂપ કંઈ માત્ર ગોરી ચામડીમાં જ નથી; જોવાની આંખ હોય તે રૂપ તે ચારે બાજુ વેરાયેલું છે. અરે! ખુદ પિતાનામાં પણ એ ભારોભાર સંતાયેલું છે.
આંગળીઓમાં પણ રૂ૫ છે. અને આધ્યાત્મિક રૂ૫? આત્મિક સૌન્દર્ય ? એ રૂપને ઓળખે. એ સૌન્દર્યને પામે.
તર્જની અક્કડ અને સીધી બની જ્યારે કોઈની તરફ ચીંધાય છે ત્યારે એવી વ્યક્તિ પાસે કઈ બેસતું નથી. તેવા પ્રસંગે વ્યક્તિ ગુસ્સામાં હોય છે; બુદ્ધિથી બધિર હોય છે.
એ જ તર્જની વળે છે, નમે છે અને અંગુઠા ઉપર પિતાનું માથું ટેકવે છે ત્યારે તે કઈ દિવ્ય મુદ્રા સજે છે.
એ મુદ્રા એક પ્રાર્થનાની છે, માળા દ્વારા થતા જાપની છે.
આ તર્જની એ મનનું પ્રતીક છે. અંગુઠો આત્માનું પ્રતીક છે.
For Private And Personal Use Only