Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ UTARUBBIENSISTERESTER પ્રથમવૃત્તિનો ઉપદ્યાત છે चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दिअहा ।। –વંહિત્તાસૂત્ર ૪૬ જૈન મુનિ મહારાજા, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાઓને અહનિશ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે બન્ને વખત પાપની આલોયણું કર્યા પછી મનની શુદ્ધિને અર્થે દિવસે કેમ વ્યતીત કરવા તે માટે ભાવવાની આ શુભ ભાવના છે – ઘણા લાંબા કાળનાં સંચય કરેલાં પાપનો નાશ કરનારી અને લાખો ભવ ઘટાડનારી, ચોવીશે જિનેશ્વરે કહેલી ઉત્તમ સ્થાઓમાં (તેનાં વાંચન-મનન અને પુનરાવર્તનમાં ) મારા દિવસ પસાર થાઓ.” આત્મિક ઉન્નતિ મેળવવામાં અને સર્વ પાપ-પુન્યનાં બંધે કાપ્રી નાંખી પરમપદ પ્રાપ્ત કરાવવામાં જિનેશ્વરોએ કથિત અને ત્યારપછી થયેલ સમર્થ આચાર્યો અને મુનિરાજેએ ગૂંથિત કથાઓ કેટલું ઉત્તમ કાર્ય કરે છે તે આ ભાવના દર્શાવે છે. શાસ્ત્રકારોએ શ્રતસમુદ્રના ચાર વિભાગો પાડ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) કથાનુગ, (૩) ચરણકરણનુગ, (૪) ગણિતાનુયોગ. આ ચાર વિભાગમાં જૈન ગ્રંથોનો સર્વે લેખનવિભાગ સમાઈ જાય છે. કેટલાક ગ્રંથે પદાર્થોનું પૃથક્કરણ કરે છે. તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય કેવી રીતે લાગુ પડે અને તત્વજ્ઞાનનું શું રહસ્ય છે તે સમજાવનારા હોય છે, કેટલાક ગ્રંથ જૈન ધર્મ પાળનારા કેવા વિશિષ્ટ મહાત્માએ થઈ ગયા છે અને તેમના આત્મા કેવા ઉત્તમ ગુણે ધારણ કરવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102