Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 166
________________ રહસ્યને આત્મસાત્ કરવામાં આવે તો આ મહાપ્રભાવક સ્ત્રોતનો કોઈપણ શ્લોક જીવને શિવ બનાવી શકે તેમ છે. આત્માને પરમાત્મા બનાવી શકે તેમ છે અને જન્મ મરણને ટાળી ભવભ્રમણને અટકાવી શકે તેમ છે. આપણે આગળના શ્લોકોમાં એ જોયું છે કે સમવસરણમાં પ્રભુ દેશના આપે છે ત્યારે ચારગતિના જીવો પોતાના જાતિવેરને ભૂલીને પ્રભુની દેશના સાંભળે છે. અને પોતપોતાની રુચિ અને પુરુષાર્થ પ્રમાણે તે બોધને ગ્રહણ કરે છે. આ દેશના વખતે એક જ સમયે એક જ સ્થળે ઉંદર-બિલાડી, વાઘ-બકરી, સાપ-નોળિયો આવા યુગ યુગના પરસ્પરના વેરીજીવ પોતાની પ્રકૃતિને તે સમય પૂરતી ભૂલીને, વિસ્મૃત કરીને, બાજુ ઉપર મૂકીને, પ્રભુની દેશના ભાવપૂર્વક સાંભળે છે. જીવનના સંગ્રામમાં આ ચારે ગતિના જીવોમાં પરસ્પર શત્રુ હોવાછતાં પરમાત્માની પરમ વીતરાગતા, સર્વજ્ઞતા, પરમાત્માના અનંતાગુણો અને અષ્ટ-પ્રાતિહાર્યયુક્ત અતિશયોવાળો પુણ્યપ્રભાવ, આ બધાને કારણે તે જીવો સમવસરણમાં શાંત થઈને એકચિત્તે પરમાત્માની દેશના સાંભળે છે. આજના પડતા કાળમાં જીવની સ્થિતિ! વર્તમાન ચોવીસીના તમામ તીર્થકરોની દેશના સમવસરણમાં આ રીતે જીવોએ સાંભળી છે. આ કાળના જીવો હાલ હુંડાવસર્પિણી કાળમાંથી પસાર થઈ રહ્યા છે. જૂના સમયમાં આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે રાજાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા હતા. આ કાળમાં દરેકે દરેક જીવ જીવનસંગ્રામ ખેલી રહ્યો છે. તે કાળમાં યુદ્ધમાં હાથી-ઘોડાના નાદ અને મારો-કાપોની ગર્જના હતી. તો આ કાળમાં જીવ પોતાની જાત સાથે ભીષણ સંગ્રામ ખેલી રહ્યો હોય તેમ જણાય છે. તે હળુકર્મી જીવોની સરખામણીમાં આ કળયુગનો જીવ જીવન સંગ્રામમાં ભારે યાતના અને વેદના ભોગવી રહ્યો છે. તેની વાત જરા વિગતથી વિચારીએ તો એમ જણાશે કે પરમાત્માની દેશના વખતે ચારગતિના પ્રાણીઓ જાતિવેરને ભૂલીને સમવસરણમાં આવતા હતા. પડતો કાળ હોવાથી વર્તમાનમાં ગમે તે ધર્મના, ગમે તે સંપ્રદાયના મહાત્માની સભામાં હજારોની સંખ્યામાં માનવમેદની ઊમટતી હોય તોપણ તે જીવો પોતાના રાગ-દ્વેષ અને અજ્ઞાનને અકબંધ રાખીને સભામાં આવે છે. અને પ્રવચનો અને વ્યાખ્યાનો સાંભળે છે. પ્રવચનમાં એક જ ધર્મ કે સંપ્રદાયના લોકો પ્રવચન સાંભળવા સામાન્યતઃ એકઠા થાય છે. પરંતુ તેમના પારસ્પરિક વેર-દ્વેષ, રાગ અને અજ્ઞાન પોતાનાં જ સગાં-વહાલાં તરફ ગજબ રીતે ગુંથાયેલા હોય છે. પ્રવચન કે વ્યાખ્યાન સાંભળતો જીવ, દોષ દષ્ટિને કારણે પોતે કદી પણ સત્યને સ્વીકારી શકતો નથી. ભરપૂર આત્મવંચના Jain Education International For Private & Personal Use Only (૧૧) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244