Book Title: Ashtapahuda Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 9
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ ) vll કર્તા શ્રી ઉમાસ્વામી અને આ એક જ વ્યક્તિ હોય કેમકે તત્ત્વાર્થ-સૂત્ર-મોક્ષશાસ્ત્રના દશ अध्यायन। अंतम ५९॥ तत्त्वार्थसूत्रकर्तारं गृद्धपिच्छोपलक्षितं। वन्दे गणीन्द्र संज्ञातमुमा સ્વામીમુનીશ્વર! આ શ્લોકમાં પણ વૃદ્ધપિચ્છ એવું ઉમાસ્વામીને વિશેષણ આપ્યું છે. તેથી તથા વિદેહક્ષેત્રમાં ભગવાન શ્રી ૧૦૦૮ સીમંધરસ્વામી દ્વારા સંબોધિત હોવાની કથામાં પણ વૃદ્ધપિચ્છનો વિષય આવે છે. તથા કેટલાક વિદ્વાનો દ્વારા ઉમાસ્વામીજીની કથા પણ એવી જ સાંભળવામાં આવે છે જેવી કે વૃદ્ધપિચ્છના વિષયમાં કુન્દ્રકુન્દ્રાચાર્યની છે. અને કુન્દકુન્દ્રાચાર્ય સીમંધરસ્વામીથી સંબોધિત થયા હતા એ વિષયમાં પણ શ્રી શ્રુતસાગરસૂરિએ લખ્યું છે કેસીમંધરસ્વામિ જ્ઞાન સમ્પોધિત ભવ્યનને- તેથી અમને કાંઈક સંદેહુ થાય છે કે કદાચ બન્ને વ્યક્તિ એક જ હોય. પરંતુ જ્યાં સુધી કોઈ મજબૂત પ્રમાણ ન મળે ત્યાં સુધી અમે સંદિગ્ધાવસ્થામાં રહેવા સિવાય બીજું શું કરી શકીએ! જો કયાંય કુન્દકુન્દના નામોમાં ઉમાસ્વામી નામ પણ હોત તો પછી સંદેહનું પણ સ્થાન ન રહેત. પણ ફરી એટલું જરૂર કહેવાનું છે કે એમનો કોઈને કોઈ ગુરુ-શિષ્યપણાનો સંબંધ પરસ્પરમાં અવશ્ય હશે. વૃદ્ધપિચ્છ કુન્દકુન્દ હોય યા ઉમાસ્વામી હોય, બન્નેનાં યશોગાન આ દિગમ્બર જૈન સમાજમાં પૂર્ણ રીતિથી ઘણી ભક્તિ તથા શ્રદ્ધાથી જુદા જુદા નામ દ્વારા ગવાય છે. તથા વૃદ્ધપિચ્છ નામથી પણ કોઈ-કોઈ ગ્રંથકર્તાએ પોતાની આંતરિક ભક્તિ પ્રદર્શિત કરી છે. જેમ કે વાદિરાજસૂરિએ પોતાના પાર્વચરિત્ર ગ્રંથમાં સર્વ આચાર્યોથી પ્રથમ ગૃદ્ધપિચ્છ સ્વામીને કેવા અપૂર્વ શબ્દોમાં ગુણાનુવાદપૂર્વક નમસ્કાર કર્યા છે. अतुच्छ गुणसंपातं गृद्धपिच्छं नतोऽस्मि तं। पक्षी कुर्वंति यं भव्वा निर्वाणायोत्पतिष्ण वः।।१।। “જે મુખ્ય-મુખ્ય ગુણોના આશ્રયદાતા છે તથા મોક્ષ જવાને ઇચ્છુક ઉડવાવાળા પક્ષીઓની પાંખની જેમ જેમનો આશ્રય લે છે એ વૃદ્ધપિચ્છને હું નમસ્કાર કરું છું.' શ્રી કુન્દકુન્દ્રાચાર્યના વિષયમાં ભાષા ટીકાકાર પંડિત જયચંદ્રજી છાબડા તથા પ. વૃન્દાવન દાસજી વગેરે અનેક વિદ્વાનોએ ઘણા જ અભ્યર્થનીય (પ્રાર્થના કરવારૂપ) વાક્યોથી સ્તુતિગાન કર્યું છે જે અત્યાર સુધી એવા જ રૂપમાં પ્રવાહિત થઈને ચાલતું આવ્યું છે. તે સ્વામીજીના અલૌકિક પાંડિત્ય તથા એમની પવિત્ર આત્મપરિણતિનો જ પ્રભાવ છે. जासके मुखारविन्दतें प्रकाश भासयन्द स्यादवाद जैनवैन इन्दु कुन्दकुन्दसे। तासके अभ्यासतें विकाश भेदज्ञान होत, मूढ सो लखे नहीं कुबुद्धि कुन्दकुन्दसे।। देते हैं अशीम शीस माय इन्दु चन्द जाहि, मोह-मार-खण्ड मारतंड कुन्दकुन्दसे। विशुद्धिबुद्धिवृद्धिदा प्रसिद्ध ऋद्धिसिद्धिद्दा हुए न, हैं न, होहिगे, मुनिंद कुन्दकुन्दसे।। -कविवर वृन्दावनदासजी Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 401