Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 8
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates -: ભૂમિકા : અનેક આનંદધામ અતિ રમણીય આ પવિત્ર ભારતીય વસુંધરામાં સ્વયં અહિંસાત્મક તથા સમભાવ કરીને જીતી છે રાગદ્વેષ પરિણતિ જેમણે એવા ધર્મામૃત પોષક અગણનીય ઋષિગણ ગણનીય ભગવત્ કુન્દકુન્દાચાર્યનું શાસન સાક્ષાત્ તીર્થેશ પૂજ્ય શ્રી ૧OO૮ ભગવાન વર્ધમાન જિનની સમાન જ આજે આ કલિકાલ નામે પંચમ કાળમાં માન્યગણનારૂપ પરિણત થઈ રહ્યું છે અને તેમની વાણી સાક્ષાત્ તીર્થકરની સમાન જ આપણા માટે હિતાવહ છે. તેમના વિષયમાં તથા તેમની સર્વજ્ઞ પરંપરાગત કૃતિના વિષયમાં જો કોઈને આક્ષેપ-વિક્ષેપ કરવાના હોય તો કેવળ અગાધ જળ-ભાત્મક મૃગતૃષ્ણાની સમાન તેને માટે હશે. સ્વામી કુન્દકુન્દ જેવા ગ્રંથકાર તથા તેમના ગ્રંથમાં કયાંય પણ એવો અંશ નથી કે જેમાં કોઈનો આક્ષેપ-વિક્ષેપ હોય, કેમકે તેમની ગ્રંથશૈલી અધ્યાત્મ પ્રધાનતાથી માર્ગાનુશાસિની છે. છતાં પણ અહીં સર્વત્ર એવા પ્રકારની ગૂંથણી છે કે કોઈપણ પ્રતિપક્ષી તથા પરીક્ષકને આદિથી અંત સુધી કયાંય પણ એવો અંશ નહિ મળે કે જેમાં આક્ષેપ-વિક્ષેપને સ્થાન હોય. તેથી એમને પ્રધાન તથા પૂજ્ય પ્રમાણે કોટિમાં ભગવાન મહાવીર તથા ગૌતમગણધર જેવા માન્યા છે. કેમકે શાસ્ત્રની શરૂઆતમાં શાસ્ત્ર વાંચનાર મંગલાચરણમાં “ “ભાવીન વીરો, મંન નૌતમોળી મંત્તિ ન્દ્રન્દ્ર દ્યો નૈન ધર્મોસ્તુ માત્ર '' -આ પાઠ હંમેશા જ બોલે છે. તેથી જાણવા મળે છે કે સ્વામી કુન્દકુન્દ્રાચાર્યનું આસન આ દિગમ્બર જૈન સમાજમાં કેટલું ઊંચું છે. તેઓ આચાર્ય મૂલસંઘના ઘણા જ પ્રભાવિક આચાર્ય મનાય છે. તેથી આપણો પ્રધાનવર્ગ મૂલસંઘની સાથે કુન્દુકુન્દાસ્નાયમાં આજે પણ પોતાને પ્રગટ કરીને ધન્ય માને છે. વાસ્તવમાં જોવામાં આવે તો જે કુન્દકુન્દાસ્નાયમાં છે તે જ મૂલસંઘ છે. છતાં પણ મૂલસંઘની અસલિયત કયાં છે એ પ્રગટ કરવા માટે કેન્દ્રકુન્દ આમ્નાયને મુખ્ય ગણી છે અને આ જ હેતુથી મૂલસંઘની સાથે જે કુન્દકુન્દાસ્નાયને લખવા-બોલવાની શૈલી છે તે યોગ્ય પણ છે. કેમકે મૂલસંઘ કુન્દકુન્દાસ્નાયમાં જ પ્રધાનતાથી માનવામાં આવે છે, અને તેની પ્રસિદ્ધિ દિગમ્બરપ્રમુખ સમાજમાં સર્વત્ર જ છે. માટે કોઈને વિવાદ અને સંદેહને અહીં સ્થાન જ નથી. શ્રી શ્રુતસાગર સૂરિએ એમના પાહુડ ગ્રંથની સંસ્કૃત ટીકામાં પ્રત્યેક પાહુડના અંતમાં એમના પાંચ નામ લખ્યા છે. જે આ પ્રકારે છે- “ “શ્રી પાનઃિ કુન્દ્રન્દ્ર વીર્ય વીવા વાર્થે નીવાર્ય પૃદ્ધપૃચ્છાવા નામ પં વિરાજિતેન'' તેથી આ જણાય છે કે તત્ત્વાર્થસૂત્રના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 401