Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ સ્થિતિ ને કાયમની છે ને સાક્ષાત્કારમાં માત્ર આત્માની પ્રતીતિ બેસે. આત્માનુભવ થયા પછી ચારિત્રમાં આવ્યો, તે વર્તાયો કહેવાય. અરૂપી આત્મા, એનો સાક્ષાત્કાર કરનારો ય અરૂપી છે, એટલે સ્વભાવે સ્વભાવ મળી જાય, ને વૃત્તિઓ નિજઘેર પાછી વળે. આત્મા ‘શું છે’ અને ‘શું નથી” એ બન્ને જાણે ત્યારે આત્મા જાણ્યો કહેવાય. અજ્ઞાનદશા સાથે “આત્મા શુદ્ધ-બુદ્ધ છે” એવું ના કહેવાય, બહુ ત્યારે દેહની અપેક્ષાએ અશુદ્ધ ને આત્માની અપેક્ષાએ શુદ્ધ છે, એમ કહેવાય. એક ફેરો ચાખ્યા પછી પાછો ક્યારે ય ના જાય એ આત્માનો આનંદ. આવીને ચાલ્યો જાય એ મનનો આનંદ. કષાયોમાં ચિત્ત પડેલું હોય ત્યાં સુધી આત્માનુભવ અશક્ય છે ! નિરંતર પરમાનંદ સ્થિતિ એ જ આત્માનુભવ. ચિંતા-ઉકળાટ થાય છે તે પરવસ્તુમાં, પોતામાં નહીં, આ ભાન જ્ઞાની કરાવી આપે છે પછી આત્માને કંઈ જ થાય નહીં એ દ્રઢ પ્રતીતિ બેસી જાય છે. ‘એક્કેક્ટ' રીતે આત્મા પ્રાપ્ત થયા પછી માત્ર ‘ડિસ્ચાર્જ કર્મ જ રહે છે, સંવરપૂર્વકની નિર્જરા જ હોય, પછી બંધ ના પડે. કર્મની સત્તા ક્યાં સુધી કે જ્યાં સુધી એને ‘પોતાનો’ આધાર અપાય, એ આધાર ખસે તો કર્મ ‘ન્યુટ્રલ બની જાય. આધાર કેવી રીતે અપાય કે કરે છે ઉદયકર્મ ને ‘મેં આ કયું” એ અજ્ઞાનતાથી ! ‘જ્ઞાની પુરુષ' સંસારની બધી જ ક્રિયાઓ કરવા છતાં ‘હું કંઈ જ કરતો નથી’ એવાં સતત ખ્યાલ સહિત આત્મામાં રહે છે. જ્યારે અજ્ઞાની ‘હું કરું છું'ના ખ્યાલની બહાર એક ક્ષણ નથી હોતો ! ‘હું શરીર નથી, હું શરીર નથી, હું આત્મા છું, હું આત્મા છું' એમ ગાયા કરવાથી કશું ના વળે. એ તો આત્માનો અનુભવ થવો જોઈએ. આત્મજ્ઞાન કરાવવાના આજ સુધી જે જે સાધનો કર્યો તે બધાં બંધનરૂપ થયાં. સસાધન એટલે કે પ્રત્યક્ષ પ્રકટ ‘જ્ઞાની પુરુષ'નું સેવન થાય તો જ છૂટકારો થાય ! સાધનો માત્ર જ્ઞાન સુધી લઈ જાય, જ્યારે આત્મા તો ‘વિજ્ઞાન સ્વરૂપ છે. આત્મા આ દેહની, ઘરોની, લાખ ભીંતોની ય આરપાર જતો રહે એવો સૂક્ષ્મત્તમ છે. એ શી રીતે જોડે ? ગમે તેટલી કઠોર તપશ્ચર્યા કે સાધના કરે છતાં આત્મસાક્ષાત્કાર થવો કઠિન છે. અડધા માઈલ સ્ટેશન હોય ને પોતે ઊંધે રસ્તે બાવીસ માઈલ ફરે તેમાં વાંક કોનો ? રસ્તો ભૂલ્યા તેમાં દેહનો શું વાંક ? વાંક બધો અજ્ઞાનતાનો છે. આત્માનું જ્ઞાન જ્ઞાની આપે એટલું જ નહીં પણ સૃષ્ટિની સર્વે ગૂંચોના સર્વાગી સમાધાન આપે. જ્ઞાની પાસેથી સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં અંતરાય આવે તે ‘જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવવું જ છે' એવાં નિશ્ચયથી તુટે અગર તો જ્ઞાનીને વિનંતી કરે કે “મારા અંતરાય તોડી આપો” તો તેઓ તોડી આપે. બાકી આત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને કોઈ પ્રતિકૂળતા આવે નહીં. પ્રતિકૂળતા પોતાની જ નબળાઈને કારણે છે. નિજ ઘરમાં જવામાં પ્રતિકૂળતા તે શી ? જાતે આત્માનો અનુભવ કરવો હોય તો કોઈ ખિસું કાપે, ગાળો દે, માર મારે, તો તે ઘડીએ “આ મારાં જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત છે, એ તો મને કર્મમાંથી મુક્ત કરે છે એમ કરીને એ નિર્દોષ દેખાય ને ઉપરથી એને આશીર્વાદ અપાય ને એવું કાયમ રહે તો આત્મા પ્રાપ્ત થાય જ. આ કાળમાં આટલું જાતે થાય એવાં પોતાનાં પૂઠિયાં નથી હોતાં એટલે ‘જ્ઞાની' પાસે એક ફેરો આત્મા જાગૃત કરાવી લેવાથી પછી ફરી આત્મા સ્વપ્નમાં પણ ભૂલાય નહીં. આત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય ? મૂળ આત્માનો ઉદ્ધાર તો થઈ ગયેલો જ છે. માત્ર આ માનેલા આત્માનો ઉદ્ધાર કરવાનો છે. તે કેવી રીતે થાય ? ‘પોતાને જ્યારે એમ સમજ ગેડમાં બેસે કે “મારું સ્વરૂપ તો જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” જેને આત્મજ્ઞાન એ કારણ સર્વજ્ઞ, કારણ કેવળજ્ઞાની કહેવાય ! આત્મજ્ઞાની નિરાગ્રહી, નિર્અહંકારી હોય.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 171