Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨]
[ શ્રી અનુભવ પ્રકાશ ચીજો જણાઈ જાય છે તેમ ચૈતન્ય-અરીસામાં સ્વ-પર પ્રકાશક જ્ઞાન ખીલી ગયું છે, એટલે કે તે અનુભવને જ સેવે છે, એટલે તે અનુભવમાં અનંત ગુણના સર્વ રસ આવે છે, તે અહીં કહીએ છીએ.
જ્ઞાનનો પ્રગટ પ્રકાશ છે તે અનંત ગુણોને જાણે છે. અહીં અરિહંત, સિદ્ધની વાત છે. અલ્પજ્ઞ પોતાના પ્રમાણમાં જાણે. ભગવાનની જ્ઞાનની અવસ્થા અનંત ગુણોને જાણે પણ અનંત ગુણો જ્ઞાનમાં પેસી ન જાય. વળી જ્ઞાન સવિકલ્પ છે, સાકાર છે. સ્વ-પરને જાણવું તેને સાકાર, સવિકલ્પ અથવા જ્ઞાનવિશેષ કહે છે. તે જ્ઞાનની અવસ્થારૂપે પરિણમે, વેદે ને તેનો આસ્વાદ કરે. જ્ઞાનગુણની પર્યાયમાં આત્માના બધા ગુણોનો રસ આવે છે, ત્યાં ઉપમા વિનાનો આનંદ ઊપજે છે.
તે જ પ્રમાણે દર્શનગુણ ત્રિકાળ છે, તેની અવસ્થા વર્તમાન થાય તેને જ્ઞાન જાણે, તેનો આસ્વાદ લે ને સુખફળ નીપજે, ત્યાં રાગ કે ઉપાધિ ફળરૂપે નથી. એમ બધા ગુણોની અવસ્થા થાય તેને જ્ઞાન જાણે, વેદે ને સ્વાદ લ્ય. આમ અખંડિત, અનંત ને ઉપમા વિનાનો રસ ઊપજે. જ્ઞાનની પરિણતિમાં અનંત ગુણો જાણ્યા ને વેધા. તેથી સર્વ ગુણોનો રસ પર્યાય દ્વારા અનુભવ કરવામાં આવે. એ જ પ્રમાણે દ્રવ્યને પરિણમે એટલે કે તેને વેદ, આસ્વાદે ને આનંદ પામે ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com