Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
[ શ્રી અનુભવ પ્રકાશ કરે એ જ સ્વરૂપ અનુભવનો વિલાસ છે. તેથી સ્વભાવની રુચિવાળો સુખમાં પેઠો છે, સંયોગ અને રાગની રુચિવાળો દુઃખમાં પેઠો છે.
કોઈ કહે કે આ નિશ્ચયની વાત છે, અપ્રમત્ત ગુણસ્થાનની વાત છે. તો કહે કે ભાઈ, આ ચોથા ગુણસ્થાનને પ્રગટ કરવાની વાત છે, નાનામાં નાની સત્યધર્મની શરૂઆત કેમ થાય તેની વાત છે, અજ્ઞાન ટાળી જ્ઞાન પ્રગટ કરવાની વાત છે. અજ્ઞાની અનાદિથી શુભભાવ તો કરતો આવ્યો છે, તે નવાઈ નથી.
સંતો પોતાના સ્વભાવમાં ચિત્તને ક્ષણભર રમાવે એ કેવી રીતે? તે કહીએ છીએ.
સંતો નિરંતર પોતાના સ્વભાવની ભાવનામાં એટલે એકાગ્રતામાં મગ્ન રહે છે. તેઓ આત્માને અનુભવથી બતાવે છે. ચેતનાનો પ્રકાશ વ્યક્ત પર્યાયમાં આવે છે, તેને પોતાના સ્વભાવમાં દઢ કરે છે. જાણનાર-દેખનારનો પ્રકાશ પોતાનો છે. જ્યાં વિકાર છે ત્યાં જ્ઞાનપ્રકાશ છે. જ્ઞાનપ્રકાશ ન હોય તો વિકાર જણાય નહિ, માટે નિત્ય જ્ઞાનપ્રકાશને પકડી પોતામાં દઢ થાય. વિકાર વખતે જ્ઞાન ન હોય તો વિકારને જાણત કોણ? મને દયા થઇ આવી, ભક્તિનો ભાવ આવ્યો-એમ જ્ઞાનમાં જણાયું તે ઉપયોગ છે. ચૈતન્યસ્વભાવને અનુસરીને થતા પરિણામને ઉપયોગ કહે છે. રાગ કે વિકારને અનુસરીને તે પરિણામ થતા નથી. રાગરહિત સ્વભાવને અનુસરીને થતા પરિણામને ઉપયોગ કહે છે. તે ઉપયોગ દ્વારા અંતરમાં જવાય છે. દયા-દાનાદિ ભાવ કે વ્યવહાર તે અંતરનું દ્વાર નથી. જ્ઞાનાનંદ ભગવાનની અવસ્થા કે જાણવા-દેખવાની છે તે દ્વારા દઢ ચિંતવન કરે અને એમ થતાં ચિપરિણતિ નિજસ્વરૂપમાં પરિણમતાં સ્વરૂપ રસ પ્રાપ્ત થાય છે, સ્વભાવમાં સ્થિરતા થતાં આનંદનો અનુભવ થાય છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયને યથાર્થ અનુભવવા એ જ અનુભવ છે. અહીં અપેક્ષાએ કથન છે. દ્રવ્ય-ગુણનો અનુભવ નથી. દ્રવ્ય, ગુણ ને પર્યાયનું યથાર્થ જ્ઞાન થયું તે જ અનુભવ છે. દ્રવ્ય અનંતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com