Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 216
________________ अनेकान्तजयपताका नुग्रहादित्यन्वयिन्येव संयोगोपचयात् परिणामसिद्धिः । (१९२ ) अन्तक्षयेक्षणमप्यत १३३९ ( 8: *વ્યાછા संस्थानादौ मृद्भावोपलब्धेः तदतादवस्थ्यात् - अधिकृतमृत्पिण्डातादवस्थ्यात् अन्यथा तदसिद्धेः-अभवनभवनमात्रापत्त्या अतादवस्थ्यासिद्धेः वस्तुधर्मत्वादतादवस्थ्यस्य निबन्धनोपपत्तेः वस्तुधर्मत्व एव । एनामेवाह-प्रतीत्यनुग्रहात् तत्रातादवस्थ्यसंवित्त्या । इति - एवमन्वयिन्येव वस्तुनि संयोगोपचयात् कारणात् परिणामसिद्धिः अन्यथोक्तवदयोगादिति । अन्तक्षयेक्षणमपि * અનેકાંતરશ્મિ <d– * ઉત્તરપક્ષ :- ના, કારણ કે સંસ્થાન માટે નૃષિંડની અપેક્ષા રહે છે. વ્યાખ્યાકારશ્રીનો આશય અમે સમજી શકતા નથી, કારણ કે અસત્ તો તુચ્છ છે, તેનો અનુવેધ શી રીતે હોઈ શકે ?) (૩) સંસ્થાનાદિમાં માટીનું અસ્તિત્વ ઉપલબ્ધ થાય છે - એ પરથી માટી જ સંસ્થાનરૂપે (=તેવા આકારે) પરિણમી છે, એવું જણાઈ આવે છે. = (૪) સંસ્થાનાદિ થયા પછી, માટીનું દળ તદવસ્થ નથી રહેતું - તેની આકૃતિ વગેરેમાં ફેરફાર થઈ જાય છે - એ પરથી પણ, માટી જ તેના જુદા સંસ્થાનરૂપે પરિણમી છે, એવું જણાય છે. અન્યથા એ માટીનું અતદવસ્થપણું સિદ્ધ થશે નહીં. તાત્પર્ય : જો માટી સંસ્થાનરૂપે નહીં પરિણમે, તો સંસ્થાન જેવી અસત્ વસ્તુ સત્ થઈ એવું માનવું પડશે અને તેવા અસન્ના થવાથી તો માટીમાં કોઈ જ ફેરફાર ન થાય.. એટલે તો માટીનું અતદવસ્થપણું (–જુદા આકારે થવાપણું) અસિદ્ધ જ રહે. (૧૯૧) અને એ અતદવસ્થપણું વસ્તુનો ધર્મ છે, એટલે તેનું કોઈક ને કોઈક કારણ તો હોવું જ જોઈએ (વસ્તુના કોઈપણ ધર્મો નિર્નિમિત્ત ના હોય) અને એને વસ્તુનો ધર્મ એટલા માટે કહીએ છીએ કે વસ્તુમાં એ અતદવસ્થપણાની સ્પષ્ટ પ્રતીતિ થાય છે (માટીમાં અતદવસ્થપણું સંવેદનસિદ્ધ છે.) Jain Education International તો એ માટીમાં રહેલ અતદવસ્થપણાનું (=ફેરફાર થવાનું) કારણ શું ? કારણ એ જ કે, એ માટી ઘટના સંસ્થાનાદિરૂપે પરિણમે છે અને એટલે જ તેની આકૃતિમાં ફેરફાર થઈ જાય છે. એ બધા કારણોથી સિદ્ધ થાય છે કે, સંસ્થાનાદિ પૂર્વે અસત્ હતા ને તેમનું ભવન થાય છે એવું નથી જ... એટલે ભવન કથંચિદ્ સ જ થાય એવું ફલિત થયું. નિષ્કર્ષ ઃ એટલે અન્વયી વસ્તુમાં જ સંયોગના ઉપચયથી ‘પરિણામ’ સિદ્ધ થઈ શકે, અન્યથા ઉપર કહ્યા મુજબ પરિણામ સંગત થાય નહીં. (ભાવ એ કે, વસ્તુ અન્વયશીલ હોય, તો પૂર્વ-પૂર્વની ક્ષણોનું ઉત્તરોત્તરરૂપે પરિણમન થાય અને તો ઉત્તરોત્તર ક્ષણોમાં દળની પુષ્ટિ પણ મળી રહે... પણ પરિણમન ન માનો, તો ઉપર કહ્યા મુજબ ઘટનું થવું (=ઘટનો પરિણામ) સંગત થાય નહીં.) એટલે એ પરિણામની સંગતિ માટે પણ વસ્તુને અન્વયશીલ જ માનવી રહી, ક્ષણિક નહીં. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350