________________
अधिकार: ) –
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१३४०
त्स्वभावस्य वस्तुनस्तदभावात् न क्षणिकत्वसाधनम् । प्रतिक्षणं तत् तत्स्वभावमिति चेत्, कथमन्तवत् तदनुपलम्भ: ? सादृश्यविप्रलम्भादिति चेत्, उभयाग्रहे क एतद् वेद ?
*વ્યાણા
परोपन्यस्तं क्षणिकत्वसाधनं किमित्याह - अतत्स्वभावस्य - अनन्तक्षयेक्षणस्वभावस्य वस्तुनःघटादेः तदभावात्, अनन्तक्षयेक्षणाभावात् । किमित्याह-न क्षणिकत्वसाधनं प्रत्युत तावत्कालस्थितिस्वभावसाधनमिति । प्रतिक्षणं - क्षणं क्षणं प्रति तत्-वस्तु तत्स्वभावं, प्रक्रमात् क्षयेक्षणस्वभावम् । इति चेत्, एतदाशङ्कयाह- कथमन्तवत् यथाऽन्ते तथा तदनुपलम्भ:प्रतिक्षणं क्षयेक्षणानुपलम्भ: ? सादृश्यविप्रलम्भात् । इति चेत्, 'मायागोलक' न्यायेन । एतदाશકૢચા-૩મયાગ્રહે, તવન્યાગ્રહ ફત્યર્થ:। જ પતત્-સાદૃશ્ય વેવ-જ્ઞાનાતિ ? - ચેત્યાવિ । ન * અનેકાંતરશ્મિ
* ચતુર્થ યુક્તિનો નિરાસ
(૧૯૨) ઘટાદિ વસ્તુનો છેલ્લે ક્ષય દેખાય છે, એ વાત પણ ક્ષણિકતાને નહીં, પણ અક્ષણિકતાને જ સિદ્ધ કરે છે. જુઓ; વસ્તુનો છેલ્લે ક્ષય દેખાવાનો સ્વભાવ છે - એનો મતલબ એ જ થયો કે, (અતત્ત્વભાવ) તે સિવાય (અનંત=પૂર્વની ક્ષણોમાં) ક્ષય દેખાવાનો સ્વભાવ નથી, તો આવી સ્વભાવવાળી વસ્તુનો (અનંતક્ષયેક્ષળામાવા=) પૂર્વે ક્ષય ન જ દેખાય... અને ક્ષય ન દેખાવાથી તો તેની સ્થાયિતા જ સિદ્ધ થાય...
એટલે છેલ્લે ક્ષય થવાની વાત પણ ક્ષણિકતાની સાધક નથી, પણ અક્ષણિકતાની જ સાધક છે. બૌદ્ધ : પણ વસ્તુ તો પ્રતિક્ષણ ક્ષયેક્ષણ સ્વભાવી છે, અર્થાત્ વસ્તુનો તો દરેક પળે ક્ષય દેખાવાનો સ્વભાવ છે (તો તમે કેમ કહો છો પૂર્વની ક્ષણોમાં તેનો ક્ષય ન દેખાય)
સ્યાદ્વાદી : જો એવો સ્વભાવ હોય, તો છેલ્લા સમયની જેમ, પૂર્વના સમયોમાં પણ તેનું ક્ષયેક્ષણ કેમ થતું નથી ? (અર્થાત્ પ્રતિક્ષણ ક્ષયેક્ષણ સ્વભાવી વસ્તુનો દરેક સમયે ક્ષય કેમ દેખાતો નથી ?)
બૌદ્ધ ઃ તેનું કારણ એ જ કે, સાદશ્યથી વિપ્રલંભ છે, અર્થાત્ તેનાથી જીવ ઠગાઈ જાય છે. ભાવાર્થ : કોઈ વ્યક્તિ આગની લાકડી લઈને ગોળાકારે ફેરવે, તો સાદશ્યના કારણે લાગે કે અહીં આગનો ગોળો હશે, પણ હકીકતમાં ત્યાં આગવાળી લાકડી જ હોય છે. તેમ ઘટની તમામ ક્ષણો પ્રતિક્ષણ નિરન્વય-નશ્વર છે, એટલે ઘટનો દરેક સમયે ક્ષય થાય છે. પણ પૂર્વાપર ક્ષણો એકસરખી દેખાવાથી આપણે ભોળવાઈ જઈએ છીએ અને એટલે જ આપણને એની ક્ષણિકતાના દર્શનનો સાક્ષાત્કાર થતો નથી.
સ્યાદ્વાદી : પણ તમારા મતે (તવન્ધ=વિવક્ષિત ક્ષણથી અન્ય) પૂર્વાપર ક્ષણોનું ગ્રહણ થતું જ નથી, તો તેમના સાદશ્યને જાણે કોણ ?
* બૌદ્ધમતે જ્ઞાન ક્ષણિક છે. એટલે એ ક્ષણિક જ્ઞાનથી એક ક્ષણનું જ ગ્રહણ થાય. એ વખતે પૂર્વાપર ક્ષણોનું અસ્તિત્વ ન હોવાથી, તેઓનું ગ્રહણ થાય નહીં (આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org