Book Title: Anekantjaipataka Part 05
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 286
________________ १४०९ अनेकान्तजयपताका (२६४) एवमनेकान्तत एव भावतो मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् । सकलकर्मविगमाच्च सर्वथा सङ्क्लेशाभावान्नेदमपुष्कलमिति कथं नोपादेयफलप्रकर्षः, उक्तवत् ...... ... શ્રાધ્યાપક चासत्त्वं द्वयोरपि, तथा परस्परविकलयोविशेष्यत्वाद्ययोगात् । अथाभेदः तत उभयस्वरूपानुपपत्तिः, मुक्तसत्त्वादेर्मुक्तत्वाद्यभेदात् तत्स्वरूपतया, मुक्तत्वादेर्वा मुक्तादिसत्त्वरूपतयेति ॥ एवमित्यादि । एवम्-उक्तनीत्या अनेकान्तत एव भावतः-परमार्थेन मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् मुक्तिसिद्धेः । सकलेत्यादि । सकलकर्मविगमाच्च कारणात् सर्वथा-एकान्तेन सङ्क्लेशाभावात् नेदं-मुक्तत्वम् अपुष्कलं किन्तु पुष्कलमेव, संसारित्वेनाननुविद्धत्वात् । - અનેકાંતરશ્મિ . એટલે તો તેઓનું અસત્પણું જ ફલિત થશે, કારણ કે સત્ત્વ-મુક્તત્વ જુદા જુદા હોવાથી તેઓનો એકબીજાની સાથે સંબંધ ન રહે અને સંબંધ વિના તો “સત્ત્વ વિશેષ્ય અને મુક્તત્વ વિશેષણ” એમ તેઓનું વિશેષ્ય-વિશેષણસ્વરૂપ સિદ્ધ થાય નહીં. (અને સ્વરૂપસિદ્ધિ વિના તો તેઓ નિઃસ્વરૂપ-અસત્ જ ફલિત થાય.) (૨) જો બંનેને એકાંતે અભિન્ન માનો, તો ઉભયસ્વરૂપ અનુપપન્ન થઈ જશે ! (અર્થાત્ સત્ત્વમુક્તત્વનું સ્વરૂપ અસંગત થઈ જશે !) કારણ કે સત્ત્વ મુક્તત્વથી અભિન્ન થવાથી - મુક્તત્વરૂપ જ બની જતાં – સત્ત્વનું પોતાનું કોઈ જુદું સ્વરૂપ નહીં રહે ! એ જ રીતે મુક્તત્વ પણ સત્ત્વરૂપ બની જતાં, મુક્તત્વનું પણ પોતાનું જુદું સ્વરૂપ નહીં રહે ! એટલે તો બંનેનું સ્વરૂપ અનુપપન્ન થઈ જાય. નિષ્કર્ષ એટલે સત્ત્વ-મુક્તત્વને કથંચિત્ ભિન્નભિન્ન માનવા જોઈએ, તેમાં ઉપરોક્ત એકે દોષોનો અવકાશ નથી. (આમ, વચ્ચે અવાંતર ચર્ચા કરીને, ગ્રંથકારશ્રી ફરી મૂળ વાત પર આવે છે કે “ચાન્યુ. - મુp:' એમ અનેકાંતવાદમાં જ મોક્ષની નિબંધ સંગતિ છે.) સાર ઉપર કહ્યા મુજબ સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, પરમાર્થથી અનેકાંતમાં જ મુક્તિની સિદ્ધિ થાય છે. (અન્યથા=) બાકી એકાંતમને મુક્તિની સિદ્ધિ થઈ શકતી નથી. ને મુક્તત્વની પૂર્ણરૂપતા અને ઉપાદેયફળખકર્ષરૂપતાસિદ્ધિ : (૨૬૪) પૂર્વપક્ષમાં તમે (પાના નં. ૫૮ પર) જે કહ્યું હતું કે – “અનેકાંતમતે તો મુક્તત્વ અમુક્તત્વસહિતનું થવાથી તે પૂર્ણપણે મુક્તત્વ નહીં કહેવાય અને તો તે ઉપાદેયફળના પ્રકર્ષરૂપ પણ નહીં કહેવાય.” – તે બધી વાતો પણ નિરાકૃત થાય છે, કારણ કે તમામ કર્મોના ક્ષયથી એ મુક્તમાં અંશતઃ પણ સંક્લેશનું અસ્તિત્વ નથી, અર્થાત્ સર્વથા સંક્લેશનો અભાવ છે. અને એટલે આવું મુક્તપણે અપુષ્કળ-અપૂર્ણ નથી, પણ પૂર્ણ જ છે, કારણ કે એ મુક્તપણું (કર્મજન્ય સંક્લેશમય) સંસારીપણાથી અનુવિદ્ધ-સંમિલિત નથી. (એ તો અસંક્લેશમય હોઈ પૂર્ણરૂપ છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350