Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ સ્થાન-૩, ઉદેસો-૧ 255 શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનો થી યુક્ત ભોજન જમાડી લાવત્ જીવન કાવડમાં બેસાડી કાંધ પર લઈ ફરતો રહે તો પણ માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પરંતુ તે માતાપિતાને કેવલિપ્રરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તે ધર્મની પ્રાપ્તિ કરાવે તો તે માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ મહાદ્ધિવાળો પુરષશેઠ કોઇ દરિદ્રને ધન આદિ આપી ઉન્નત વૈભવશાળી બનાવે. તે દરિદ્ર ધનાદિથી સમૃદ્ધ બની જાય અને તે શેઠની સામે અથવા પરોક્ષમાં વિપુલ ભોગસામગ્રી ભોગવતો વિચરતો હોય ત્યાર પછી પેલો દ્ધિમાન શેઠ કદાચિત દૈવયોગથી) દરિદ્ર બની જાય અને શ્રીમંત બનેલા પેલા દરિદ્રની પાસે આવે તે સમયે તે દરિદ્ર (વર્તમાનનો શ્રીમન્ત) પોતાના સ્વામીના ચરણોમાં સર્વ બિછાવી દે અને સેવા શુશ્રુષા કરતો રહે તો પણ તે, તે ઉપકારનો બદલો વાળી શકતો નથી. પરંતુ તે પોતાના સ્વામીનો કેવલિબરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તેમાં સ્થાપિત કરે તો ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ વ્યક્તિ તથારૂપ શ્રમણ-માહણની પાસેથી એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી અને સમજીને મૃત્યુના સમયે મારી કોઈ દેવલોકમાં દેવરૂપે થાય ત્યારે પછી તે દેવ ને ધર્માચાર્યને દુર્મિક્ષવાળા દેશથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય. જંગલમાં ભટકતા હોય તો જંગલ બહાર લઈ જઈ મૂકે, લાંબા કાળથી વ્યાધિ-ગ્રસ્તને રોગમુક્ત કરી દે તો પણ તે ધર્મોપદેશકના ઉપકારનો બદલોવાળી શકતો નથી પરંતુ તે ધર્મોપદેશક કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો તેને પુનઃ કેવલિ પ્રરૂપિત ધર્મ બતાવીને યાવતું તેમાં સ્થાપિત કરી દે તો તે ધર્મોપદેશકના ઉપકારનો બદલો વાળી શકે છે. [14] ત્રણ સ્થાનો થી યુક્ત અણગાર અનાદિ ચાર ગતિરૂપ દીર્ધ માર્ગવાળા સંસાર-કાન્તારને પાર કરે છે. નિદાન નહિ કરવાથી, સમ્યગ્દર્શન યુક્ત હોવાથી. સમાધિમાં રહેવાથી, ઉપધાન- પૂર્વક કૃતનો અભ્યાસ કરવાથી. [૧૪ત્રણ પ્રકારની અવસર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એ જ પ્રકારે સુષમા-સુષમાથી લઈ દુષમાદુષમા સુધીના છ આરાઓના પણ ત્રણ પ્રકારો કહેવા જોઇએ. ત્રણ પ્રકારની ઉત્સર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ પ્રકારે સુષમાસુષમ સુધીના છએ આરાનું કથન કરવું જોઈએ. [14] ત્રણ કારણોથી ખગ આદિથી છિન્ન ન થયેલું પુદ્ગલ ચલાયમાન થાય છે, યથાઆહારના રૂપમાં જીવવડે ગ્રાહ્યમાણ થવા પર પુદ્ગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. વિક્રિયાને આધીન થઈને પુદ્ગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે પણ તે ચલાયમાન થાય છે. ઉપધિ ત્રણ પ્રકારની કહેલી છે જેમકે-કમોપધિ, શરીરોપદ્ધિ ને બાહ્ય ભાંડોપકરણોપધિ. અસુરકુમારોને ત્રણેય પ્રકારની ઉપધિ કહેવી જોઈએ. એકેન્દ્રિય અને નારકને છોડીને વૈમાનિક સુધી ત્રણેય પ્રકારની ઉપાધિ હોય છે, એમ સમજવું. બીજી રીતે પણ ઉપધિ ત્રણ પ્રકારની હોય છે. જેમ કે- અચિત, સચિત અને મિશ્ર. નિરન્તર નૈરયિક જીવોને યાવતુ વૈમાનિકોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. [147 ત્રણ પ્રકારના પ્રણિધાન (એકાગ્રતા) કહેલ છે જેમકે-મનપ્રાણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. આ ત્રણ પ્રકારના પ્રણિધાન પંચેન્દ્રિયોથી લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171