Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ સ્થાન-૪, ઉદેસો-૨ 281 305 લોકસ્થિતિ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે- આકાશના આધાર પર ઘનવાયુ અને તનવાયુ પ્રતિષ્ઠિત છે. વાયુના આધાર પર ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને પૃથ્વીના આધાર પર ત્રસ સ્થાવર પ્રાણી પ્રતિષ્ઠિત છે. [30] પુરુષના ચાર પ્રકાર કહેલ છે- તથાપુરુષ આજ્ઞાકારી નોતથા પુરુષ [આજ્ઞા ઉથાપનાર] સૌવસ્તિક મિંગળ પાઠક, પ્રધાન પુરુષ [બધાનો આદરણીય] આ રીતે પણ ચાર પ્રકારના પુરષ કહેલ છે. આત્માંતકર એક પુરુષ પોતાના ભવનો અંત કરે પરંતુ બીજાના ભવનો અંત નથી કરતો. પરાંતકર- એક પુરુષ બીજાના ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત નથી કરતોઃ ઉભયાંતિકારી- બન્નેના ભવનો અંત કરે છે. ન ઉભયતકર - એક પુરુષ પોતાના અને બીજાના-બન્નેના ભવનો અંત કરતો નથી. આ રીત પણ ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ સ્વયં ચિંતા કરે છે પરંતુ બીજાને ચિંતા થવા દેતો નથી. એક પુરુષ બીજાને ચિંતિત કરે છે પરંતુ સ્વયં ચિંતા કરતો નથી. એક પુરુષ સ્વયે ચિંતા કરે છે અને બીજાને પણ ચિંતિત કરે છે એક પુરુષ સ્વયં ચિંતા કરતો નથી અને બીજાને પણ ચિંતિત કરતો નથી. રીતે પણ ચાર પ્રકારના પુરુષો છે- એક પુરુષ આત્મ દમન કરે છે પરંતુ પર- દમન કરતો નથી. એક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ આત્મદમન કરતો નથી. એક પુરુષ આત્મદમન પણ કરે છે અને પરદમન પણ કરે છે. એક પુરુષ બંનેમાંથી કોઈ દમન કરતો નથી. 307) ગહ ચાર પ્રકારની છે, જેમકે- હુ મારા દોષોને પ્રગટ કરવા માટે ગુરુની પાસે જાઉં અને પ્રાયશ્ચિત લઉં એવો અધ્યવસાય એક ગહ ગહણીય દોષોને હું દૂર કરૂ એવો અધ્યવસાય ગહનો બીજો પ્રકાર છે. મેં જે અનુચિત કર્યું છે તે દુષ્કૃત મિથ્યા થાઓ અધ્યવસાય ગહનો ત્રીજો પ્રકાર છે. સ્વકૃત દોષોની ગહ કરવાથી આત્મશુદ્ધિ થાય છે તે જીન ભગવાને કહ્યું છે એમ જાણી સ્વીકાર કરે તે ચોથી ગહન 3i08 ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ પોતાને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ બીજાને બચાવતો નથી. એક પુરુષ બીજને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ પોતે બચતો નથી. એક પુરુષ સ્વયં પણ દુષ્પવૃત્તિઓથી બચે છે અને બીજાને પણ બચાવે છે. એક પુરુષ સ્વયં દુષ્પવૃત્તિઓથી બચતો નથી બીજાને બચાવતો નથી. માર્ગ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક માર્ગ પ્રારંભમાં પણ સરળ અને અંતમાં પણ સરળ. એકમ માર્ગ પ્રારંભમાં સરળ છે અને અંતમાં વક્ર છે. એક માર્ગ પ્રારંભમાં વક્ર છે પરંતુ અંતમાં સરળ છે. એક માર્ગ પ્રારંભમાં પણ વક્ર છે અને અંતમાં પણ વક્ર છે. એ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહેલ છે. માર્ગ ચાર પ્રકારના છે જેમકેએક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે અને અંતમાં પણ ઉપદ્રવ રહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે પરંતુ અંતમાં ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત અને અંતમાં પણ ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત પણ અંતમાં ઉપદ્રવરહિત છે. એ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર છે- માર્ગના ચાર પ્રકાર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે અને સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે પરંતુ સુંદર નથી, એક માર્ગ ઉપદ્રવ સહિત છે પરંતુ સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ સહિત છે અને સુંદર પણ નથી. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે. - એક પુરુષ શાંત સ્વભાવવાળો છે અને સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171