SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૨ 281 305 લોકસ્થિતિ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે- આકાશના આધાર પર ઘનવાયુ અને તનવાયુ પ્રતિષ્ઠિત છે. વાયુના આધાર પર ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને પૃથ્વીના આધાર પર ત્રસ સ્થાવર પ્રાણી પ્રતિષ્ઠિત છે. [30] પુરુષના ચાર પ્રકાર કહેલ છે- તથાપુરુષ આજ્ઞાકારી નોતથા પુરુષ [આજ્ઞા ઉથાપનાર] સૌવસ્તિક મિંગળ પાઠક, પ્રધાન પુરુષ [બધાનો આદરણીય] આ રીતે પણ ચાર પ્રકારના પુરષ કહેલ છે. આત્માંતકર એક પુરુષ પોતાના ભવનો અંત કરે પરંતુ બીજાના ભવનો અંત નથી કરતો. પરાંતકર- એક પુરુષ બીજાના ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત નથી કરતોઃ ઉભયાંતિકારી- બન્નેના ભવનો અંત કરે છે. ન ઉભયતકર - એક પુરુષ પોતાના અને બીજાના-બન્નેના ભવનો અંત કરતો નથી. આ રીત પણ ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ સ્વયં ચિંતા કરે છે પરંતુ બીજાને ચિંતા થવા દેતો નથી. એક પુરુષ બીજાને ચિંતિત કરે છે પરંતુ સ્વયં ચિંતા કરતો નથી. એક પુરુષ સ્વયે ચિંતા કરે છે અને બીજાને પણ ચિંતિત કરે છે એક પુરુષ સ્વયં ચિંતા કરતો નથી અને બીજાને પણ ચિંતિત કરતો નથી. રીતે પણ ચાર પ્રકારના પુરુષો છે- એક પુરુષ આત્મ દમન કરે છે પરંતુ પર- દમન કરતો નથી. એક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ આત્મદમન કરતો નથી. એક પુરુષ આત્મદમન પણ કરે છે અને પરદમન પણ કરે છે. એક પુરુષ બંનેમાંથી કોઈ દમન કરતો નથી. 307) ગહ ચાર પ્રકારની છે, જેમકે- હુ મારા દોષોને પ્રગટ કરવા માટે ગુરુની પાસે જાઉં અને પ્રાયશ્ચિત લઉં એવો અધ્યવસાય એક ગહ ગહણીય દોષોને હું દૂર કરૂ એવો અધ્યવસાય ગહનો બીજો પ્રકાર છે. મેં જે અનુચિત કર્યું છે તે દુષ્કૃત મિથ્યા થાઓ અધ્યવસાય ગહનો ત્રીજો પ્રકાર છે. સ્વકૃત દોષોની ગહ કરવાથી આત્મશુદ્ધિ થાય છે તે જીન ભગવાને કહ્યું છે એમ જાણી સ્વીકાર કરે તે ચોથી ગહન 3i08 ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ પોતાને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ બીજાને બચાવતો નથી. એક પુરુષ બીજને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ પોતે બચતો નથી. એક પુરુષ સ્વયં પણ દુષ્પવૃત્તિઓથી બચે છે અને બીજાને પણ બચાવે છે. એક પુરુષ સ્વયં દુષ્પવૃત્તિઓથી બચતો નથી બીજાને બચાવતો નથી. માર્ગ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક માર્ગ પ્રારંભમાં પણ સરળ અને અંતમાં પણ સરળ. એકમ માર્ગ પ્રારંભમાં સરળ છે અને અંતમાં વક્ર છે. એક માર્ગ પ્રારંભમાં વક્ર છે પરંતુ અંતમાં સરળ છે. એક માર્ગ પ્રારંભમાં પણ વક્ર છે અને અંતમાં પણ વક્ર છે. એ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહેલ છે. માર્ગ ચાર પ્રકારના છે જેમકેએક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે અને અંતમાં પણ ઉપદ્રવ રહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે પરંતુ અંતમાં ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત અને અંતમાં પણ ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત પણ અંતમાં ઉપદ્રવરહિત છે. એ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર છે- માર્ગના ચાર પ્રકાર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે અને સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે પરંતુ સુંદર નથી, એક માર્ગ ઉપદ્રવ સહિત છે પરંતુ સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ સહિત છે અને સુંદર પણ નથી. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે. - એક પુરુષ શાંત સ્વભાવવાળો છે અને સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy