Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સ્થાન-૭ ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે. -મિત્ર- વાહન, સુભીમ, સુબંધુ. વિમલવાહન કુલકરના કાલમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપ- ભોગમાં આવતા હતા. જેમકે મઘાંગ, મૃગાંગ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, અનગ્ન, કલ્પવૃક્ષ. [5] દંડ નીતિ સાત પ્રકારની છે. જેમકે - હકાર - પહેલા બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત હા' એટલું જ કહેવામાં આવતું તેથી યુગલીઓ અત્યંત લજ્જિત થતા હતા. મકાર - ત્રીજા ચોથા કુલકરના સમયમાં વિશેષ અપરાધમાં “માં” કહેવામાં આવતું. તે “પકાર' દંડનીતિ. ધિક્કાર - પાંચમાં, છઠ્ઠા અને સાતમાં કુલકરના. સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ધિક્ કહેવામાં આવતું તે ધિક્કાર' દંડનીતિ. પરિભાષણ - અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે - “તું અહિં આવીશ નહિ.” મંડલબંધ-“આ સ્થાનથી તું બહાર જઈશ નહિ, એવો દંડ આપવો. ચારક - કેદખાનામાં નાખવું. છવિચ્છેદ-હસ્ત, પાદ વિગેરેનું છેદવું. [57] પ્રયત્ન ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દડરન, અસિરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન. પ્રયત્ન ચક્રવર્તીના સાત. પંચેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વાર્ધકીરત્ન, પુરોહિતરત્ન, સ્ત્રીરત્ન, અરવરત્ન, હસ્તીરત્ન. [58] દુષમકાળના સાત લક્ષણ છે. અકાલમાં વષ થવી, વષકાલમાં વર્ષ ન થવી, અસાધુજનોની પૂજા થવી.સાધુ જનોનીપૂજા ન થવી, માતા-પિતા અને ધર્મચાયાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવો, માનસિક દુઃખ, વાણીનું દુઃખ. સુષમકાલના સાત લક્ષણો આ પ્રમાણે છે- અકાલમાં વષ થતી નથી. વર્ષાકાલમાં વર્ષ થાય છે. અસાધુની પૂજા થતી નથી સાધુની પૂજા થાય છે. માતા-પિતા ગુરૂજનોને વિષે સમ્યગ્ ભાગ થાય છે. માનસિક સુખ, વાણીનું સુખ. [59] સંસારી જીવ સાત પ્રકારના કહેલ છે. જેમકે - નરયિક, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય મનુષ્યણી દેવ, અને દેવી. [60-61] આયુનું ભેદન સાત કારણોથી થાય છે. જેમકે - અધ્યવસાયથી, નિમિત્ત (દંડ, શાસ્ત્રાદિથી આહાર-અધિક આહારથી અથવા આહારના અભાવથી, વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, પરાઘાત (કૂવામાં પડવું આદિ અકસ્માતથી) સ્પર્શ - (સર્પ વિગેરેના ડંખ)થી, શ્વાસોશ્વાસના અવરોધથી. [62] બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - પૃથ્વીકાયિક, અલ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અકાયિક. બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા, અલે. [63] બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઉંચા હતા, સાતસો વર્ષનું આયુ ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈવિક પણે ઉત્પન્ન થયા. [૬૪]મલ્લીનાથ અહંત સ્વયં સાતમા મુંડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણગાર-દ્વાજિત થયા. મલ્લી-નામની વિદેહ દેશના કુંભરાજાની ઇકન્યા. પ્રતિબુદ્ધિ નામનો ઇન્ક્વાકુરાજ સાકેતપુરનો પતિ. ચન્દ્રછાય નામનો અંગદેશનો રાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/19ce0f27febb659df1a5e079cc92b7e89ea91f2bac3683567e074a021e507a7a.jpg)
Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171