Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 230 ઠાણ- 211 કાલ પર્યન્ત ગહ કરે છે. _દિરપ્રત્યાખ્યાન બે પ્રકારના છે. કોઈ પ્રાણી કેવળ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ કેવળ વચનથી જ પ્રત્યાખ્યાન કરે છે. અથવા પ્રત્યાખ્યાનના બે ભેદ છે. - કોઈ દઈ કાલ પર્યન્ત પ્રત્યાખ્યાન કરે છે, કોઈ અલ્પકાલીન પ્રત્યાખ્યાન કરે છે. [3] બે ગુણોથી યુક્ત અણગાર અનાદિ અનન્ત દીર્ઘકાલીન ચાર ગતિવાળા સંસાર કાંતારને તરી શકે છે. વિદ્યા (જ્ઞાન) વડે અને ચરણ (ચારિત્રો વડે. કિ૪] બે સ્થાનોને આત્મા જ્યાં સુધી પરિણાથી જાણી લેતો નથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરતો નથી ત્યાં સુધી તેને કેવલી પ્રરૂપત ધર્મ સાંભળવા મળતો નથી. તે બે સ્થાનો આ પ્રમાણે છે. આરંભ અને પરિગ્રહ બે સ્થાનોને જાણ્યા વિના અને ત્યાગ કર્યા વિના આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકતો નથી. જેમકેઆરંભ અને પરિગ્રહ એવી જ રીતે-શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. શુદ્ધ સંયમથી પોતે પોતાને સંયત કરી શકતો નથી. શુદ્ધ સંવરથી સંવૃત થઈ શકતો નથી. સંપૂર્ણ આભિનિબોધિક (મતિ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ મન ૫ર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. [65] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણાદિ રૂપે પ્રાપ્ત કરી શકે છે-ચાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે છે આરંભ અને પરિગ્રહ, [66] આત્મા બે સ્થાનોથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકે છે. યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે-શ્રદ્ધાપૂર્વક ધર્મની ઉપાદેયતા સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને. [9] બે પ્રકારનો સમય કહેલો છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ. js8 બે પ્રકારે ઉન્માદ કહેલો છે. જેમકે પક્ષના પ્રવેશથી થયેલો ઉન્માદ અને દર્શન મોહનીય કર્મના ઉદયથી થયેલો ઉન્માદ તેમાં યક્ષાવેશ ઉન્માદ છે તેનું સરળતાથી વેદન થઈ શકે છે. અને તે સરલતાથી દૂર કરી શકાય છે. મોહનીય કર્મના ઉદયથી જે ઉન્માદ ઉત્પન્ન થાય છે તેનું વેદન કઠિન હોય છે અને તે મુશ્કેલીથી દૂર કરાય છે. [૬૯દંડ બે પ્રકારના કહેલા છે. જેમકે-અર્થદડ (પ્રયોજન માટે હિંસાદિ કરવી) અને અનર્થદંડ, નૈરયિકજીવોને બેડ કહેલા છે. જેમકે અર્થદંડ અને અનર્થ દંડ. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી ચોવીશ દંડકમાં સમજી લેવા. 7i0 દર્શન બે પ્રકારે છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન. સમ્યગ્દર્શનના બે ભેદ, કહેલ છે, નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગસમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ નષ્ટ થઈ જનાર) અને અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શનના બે ભેદ છે, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. મિથ્યાદર્શન બે પ્રકારે છે આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિકમિટ્યાદર્શન. આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે છેસપર્યવસિત (સાન્ત) અને અપયવસિત (અનન્ત) એ પ્રકારે અનભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ જાણવા. [71] જ્ઞાન બે પ્રકારના કહેલ છે. જેમકે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- કેવલજ્ઞાન અને નોકેવલજ્ઞાન. કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 171