Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 128 સૂયગડો-૧ર/૧/૯૯ 9i9] હે પુરુષ નું યતના સહિત સમિતિ અને ગુતિ યુક્ત બનીને વિચર. કારણ કે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુરૂર છે. શાસ્ત્રોક્ત, રીતે જ સંયમનું પાલન કર. બધા અરિહંતોએ સમ્યક રીતે એ જ ઉપદેશ આપ્યો છે. 100 જે હિંસા વગેરે પાપોથી નિવૃત્ત છે, કષાયોને દૂર ક્યાં છે, નિરારંભી છે, ક્રોધ, માન, માયા અને લોભનું નિકંદન કરનાર છે, ત્રણ કરણ ને ત્રણ યોગથી કોઈ પણ પ્રાણીનો ઘાત કરતા નથી, સાવધાનુષ્ઠાન રહિત છે તે સર્વે મુક્તાત્મા સમાન મુક્ત છે. [101] વિવિધ પ્રકારના પરીષહ અને ઉપસર્ગ આવતાં બુદ્ધિમાનું સાધુ એમ વિચાર કરે કે પરીષહોથી હું એકલો જ પીડાતો નથી, પરંતુ લોકમાં બીજા અનેક પ્રાણીઓ વ્યથા પામી રહ્યા છે. આવો વિચાર કરીને પરીષહ આવવા છતાં પણ ક્રોધાદિથી રહિત થઇ સમભાવે સહન કરે. 102] લેપ કરેલી ભીંતનો લેપ કાઢી નાખી તેને ક્ષીણ કરી દેવામાં આવે તે પ્રમાણે સાધુએ અનશન વગેરે તપ વડે શરીરને ક્રશ કરી દેવું જોઈએ. તથા અહિંસાધર્મનું પાલન કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવાને એ જ ધર્મની પ્રરૂપણા કરેલ છે. [103 જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવીને ધૂળને ઉડાડી દે છે, તે પ્રમાણે અનશનાદિ તપ કરનારા તપસ્વી સાધુ કર્મનો ક્ષય કરી દે છે. [104-107 ગૃહરહિત, એષણાપાલન કરવામાં તત્પર, સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેમના પુત્ર-પૌત્ર-માતાપિતાવગેરે દીક્ષા છોડી દેવાનું કહે તેમજ ગૃહવાસમાં રહેવાની પ્રાર્થના કરતાં કરતાં થાકી જાય, તો પણ સાધુ સ્નેહીજનોને આધીન ન થાય. સાધુના માતાપિતા વગેરે તેમની પાસે આવી, કરુણાજનક વચન બોલે અથવા પુત્ર માટે રુદન કરે તો પણ સંયમ પાલન કરવામાં તત્પર તે સાધુને તેઓ ડગાવી શકતા નથી તેમજ ગૃહવાસમાં સ્થાપિત કરી શકતા નથી. સાધુના સંબંધીઓ સાધુને વિષયભોગનું પ્રલોભન આપે કે તેને બાંધીને ઘરે લઈ જાય, પણ જો તે સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરતા હોય તો તેમને વશ કરી શકતા નથી અને ગૃહસ્થ ભાવમાં પણ સ્થાપિત કરી શકતા નથી. સાધુને પોતાનો પુત્ર, માતા, પિતા, પત્ની વગેરે શિક્ષા આપે છે અને કહે છે-હે પુત્ર! અમારું પાલન કર. અમને છોડીને તું પરલોક પણ બગાડી રહ્યો છે. [108-109 કોઈ કોઈ કાયર પુરુષો સંબંધી જનોના ઉપદેશથી માતા, પિતા, પુત્ર વગેરેમાં મૂચ્છિત બની મોહને વશ બને છે. તેઓ અસંયમી પુરુષો દ્વારા અસંયમને ગ્રહણ કરી ફરી પાપકારી કાર્ય કરવામાં લજ્જિત થતા નથી. મોહને વશીભૂત થઈને મનુષ્ય પાપકર્મ કરવામાં નિર્લજ્જ બની જાય છે. માટે હે પંડિત પુરુષો! તમે રાગદ્વેષ રહિત બનીને વિચાર કરો. સત્ અસતના વિવેકથી યુક્ત, પાપથી રહિત, શાંત બનો. વીર પુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાર્ગ સિદ્ધિનો પથ છે. મુક્તિની નિકટ લઈ જનાર છે અને ધવછે. ૧૧હે ભવ્યો ! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી, મન, વચન અને કાયાથી ગુપ્ત બની, ધન અને જ્ઞાતિવર્ગ તેમજ આરંભનો ત્યાગ કરી ઉત્તમ સંયમી બની વિચરો, એમ હું કહું છું. અધ્યયનઃ ૨-ઉસકની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116