________________ તસ્કંધ-૨, અધ્યયન-s, 203 છે. જેમકે ચર્મપક્ષી રોમપક્ષી સમગ્ર પક્ષી વિતત- પક્ષી. આ પ્રાણીઓ પોતાની ઉત્પત્તિને યોગ્ય બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિ પણ સ્ત્રી-પુરુષના સંયોગથી થાય છે. શેષ પૂર્વવતુ તે જીવ ગર્ભથી નીકળીને બાલ્યાવસ્થામાં માતાના શરીરના રસનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો તથા ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે પ્રાણીઓ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. આહાર કરીને પચાવીને પોતાનારૂપે પરિણાવે છે. અનેક પ્રકારના જાતિવાળા ચર્મપક્ષી આદિ આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના બીજા પ્રકારના પણ શરીરો હોય છે. 9io] ત્યારબાદ શ્રી તીર્થકર ભગવાને અન્ય જીવોના વિષયમાં પણ કથન કરેલ છે. આ જગતમાં કોઈ પ્રાણી અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારની યોનિયોમાં સ્થિત રહે છે અને અનેક પ્રકારની યોનિયોમાં વૃદ્ધિ પામે છે. આ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને વૃદ્ધિ પાનાર જીવ પોતાના પૂર્વકત કર્મો અનુસાર તે તે કર્મના પ્રભાવથીજ અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પગલોના સચિત્ત અચિત્ત શરીરોમાં તેઓને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રસ સ્થાવર જીવોના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન અને તેના આશ્રમમાં રહેનાર પ્રાણીઓના અનેકવર્ણવાળા બીજા શરીર પણ હોય છે. તેમ તીર્થકરોએ કહ્યું છે. એ જ પ્રમાણે મલમૂત્રાદિમાં વિકલેન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને ગાય ભેંસાદિના શરીરમાં ચર્મકીટ ઉત્પન્ન થાય છે. આગળ બીજા પ્રાણીઓનું વર્ણન કરે છે - આ જગત્માં કોઈ જીવ અનેકવિધ યોનિમાં ઉત્પન્ન થઈ કમનુસાર વાયુયોનિક આપકાયમાં આવે છે. તે અપકાયમાં આવીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં અપકાય રૂપથી ઉત્પન્ન થાય છે. તે અપકાય વાયુથી બનેલ અને વાયુદ્વારા સંગ્રહ કરેલ અને વાયુદ્વારા ધારણ કરેલ હોય છે. વાયુ ઊંચે જતા ઉંચે જનાર, વાયુ નીચે જતાં નીચે જનાર અને વાયુ તિથ્ય જાય તો તિચ્છ જનાર હોય છે. તે અપકાયના નામો આ પ્રમાણે છે. ઓસ, હિમ, ધૂમ્મસ, કરા, કરતનું અને શુદ્ધજલ. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રણ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન ઓસથી શુદ્ધ જલ પર્વતના જીવોના અનેક વર્ણવાળા શરીર હોય છે. ત્યારબાદ અપકાયથી ઉત્પન્ન થનારા અપકાયોનું સ્વરૂપ વર્ણવ્યું છે. તે આ પ્રમાણે આ જગતુમાં કેટલાંક પ્રાણીઓ પૂર્વકર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર યોનિક જળમાં જળરૂપે ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત રહે છે અને તે પ્રાણી ત્રસ અને સ્થાવર યોનિક જળના રસનો તથા પૃથ્વી આદિ કાયના આહાર કરે છે અને તેને પોતાના શરીરરૂપે પરિણમાવે છે. તેમના અનેક વર્ણવાળા બીજા શરીરો કહ્યા છે. ત્યારબાદ અપકાયયોનિક અપકાયનું વર્ણન કરે છે. આ જગતમાં કોઈ જીવ ઉદકજ્યોનિક ઉદકમાં પોતાના પૂર્વકૃત કર્મના આધીન બનીને આવે છે. તે ઉદકયોનિક ઉદકમાં ઉદકરૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરી પોતાના રૂપે પરિણમાવે છે. તે ઉદક યોનિવાળા ઉદકના અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org