Book Title: Agam Deep 02 Suyagado Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ સુતસ્કંધ-૨, અધ્યયન-૧, 175 પુરષ માંસથી હાડકાને જુદું કરીને દેખાડી શકે છે, મુંજ અને તણખલાની સલીને જુદા કરીને બતાવી શકે છે જેમ કોઈ પુરુષ હથેળીથી આમળું જુદું બતાવે છે. જેમ કોઇ દહીમાંથી માખણ જુદું કરીને બતાવે છે. જેમ તલમાંથી તેલ, શેરડીમાંથી રસ અને અરણીનાં લાકડામાંથી અગ્નિને જુદ્દે કરી બતાવી શકે છે, તેમ કોઈ પુરુષ એવો નથી કે જે આત્માને શરીરથી જુદો કરીને બતાવે કે આ આત્મા છે અને આ શરીર છે. તેથી આત્મા શરીરથી જુદો નથી. તેજ યુક્તિયુક્ત છે. જીવ અને શરીરને જુદા જુદા બતાવનારા મિથ્યાવાદી છે. આ પ્રમાણે શરીરથી જુદો આત્મા નહિ માનનારા લોકાયતિક આદિ સ્વયં જીવોનું હનન કરે છે. તથા બીજાને પણ એવો ઉપદેશ આપે છે કે મારો, છેદો, બાળો, પકાવો. લૂંટો, બળાત્કાર કરો, ગમે તેમ કરો કારણ કે શરીર જ જીવ છે. તેથી ભિન્ન કોઈ પરલોક નથી. તે તજીવ તસ્કૃરીરવાદી માનતા નથી કે આ કરવું જોઇએ ને આ ન કરવું જોઈએ. આ સુકૃત છે અને આ દુષ્કત છે, આ કલ્યાણ છે ને આ પાપ છે, આ સારું છે ને આ ખરાબ છે. તેઓ સિદ્ધિ કે અસિદ્ધિ, નારક કે નારકભિન્ન-દેવાદિને માનતા નથી. આ પ્રમાણે ભાંતિવશ સમારંભો વડે વિવિધ કામભોગો ભોગવવા માટે આરંભ કરે છે. આ પ્રમાણે મૂર્ખતાથી કોઈ નાસ્તિક “મારો જ ધર્મ સત્ય છે” એવી પ્રરૂપણા કરે છે. તેના સિદ્ધાંતમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરી તથા સત્ય માની કોઈ રાજા આદિ તે શરીરાત્મવાદીને કહે છે હે શ્રમણ ! હે બ્રાહ્મણ ! તમે મને ઘણો ઉત્તમ ધર્મ સંભળાવ્યો. હે આયુષ્યનું હું આપની પૂજા કરું છું. અન્ન, પાણી ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પરિગ્રહ, કંબલ અને પાદપુંછન વિગેરે સામગ્રીઓ વડે આપનું સન્માન કરું છું. એમ કહી કોઈ રાજાદિ તેની પૂજામાં પ્રવૃત્ત બને છે. આ શરીરાત્મવાદીએ પૂર્વે તો એવી પ્રતિજ્ઞા કરી હતી કે “હું અણગાર, અકિંચન પુત્રરહિત, પશુ આદિથી રહિત, પરિગ્રહથી રહિત અને બીજાએ આપેલી ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષુ બનીશ અને હું પાપકર્મ કરીશ નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે તત્પર બનીને પણ સ્વચ્છંદતાથી પાપકર્મો કરવાથી નિવૃત્ત થતા નથી. તે સ્વયં પરિગ્રહનો સ્વીકાર કરે છે, બીજા પાસે કરાવે છે. અને પરિગ્રહનું અનુમોદન પણ કરે છે. આ પ્રમાણે તેઓ સ્ત્રી તથા બીજા કામભોગોમાં આસક્ત બને છે. આત્મસ્વરૂપને ભૂલી જાય છે. કામભોગોમાં લેવાઈ જાય છે. તેમાં જ ડૂબી જાય છે. તેમાં લુબ્ધ બને છે. રાગ દ્વેષને વશ બનીને આર્ત બની જાય છે. તેઓ આત્માને સંસારપાશથી મુક્ત કરી શકતા નથી તેમ જ ઉપદેશાદિ વડે અન્ય જીવોને મુક્ત કરાવી શકતા નથી. તેઓ પોતાની સ્ત્રી-પુત્ર અને ધન, ધાન્ય વિગેરેથી દૂર થયેલા છે અને આર્ય માર્ગથી પણ દૂર થઇ જાય છે. તેથી તે આ લોકના રહ્યા નથી અને પરલોકની. પણ રહ્યા નથી અને મધ્યમાં જ કામ ભોગરૂપી કાદવમાં ફસાઈ જાય છે. આ તજજીવતચ્છરીરવાદી પ્રથમ પુરુષની વાત થઇ. [42] પૂર્વોક્ત પુષ્કરિણીના કીચડમાં ફસાયેલા ચાર પુરુષોમાંથી બીજો પુરુષ પંચ મહાભૂતવાદી છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં મનુષ્યો નિવાસ કરે છે અને તે આર્ય-અનાર્ય, સુરૂપ કુરૂપ આદિ અનેક પ્રકારના હોય છે અને તેમાં કોઈ એક રાજા હોયછે રાજાની પરિષદ પણ હોય છે. તેનું વર્ણન આગળના સૂત્ર પ્રમાણે જાણી લેવું. તેમાં કોઇ શ્રદ્ધાળુ પણ હોય છે. તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ અને બ્રાહ્મણ વિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116