________________ તસ્કંધ-૧, અધ્યયન-૪, ઉસ-૧ જ્ઞાતા છે, તથા જે પુરુષ બુદ્ધિથી યુક્ત છે, એવા પણ સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. | J27-268 પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ પગ કાપી નાખવામાં આવે છે અથવા તેની ચામડી કે માંસ કાપી લેવામાં આવે છે અને અગ્નિમાં બાળવામાં આવે છે તેમજ તેના અંગ કાપી તેના ઉપર ક્ષાર સિચવવામાં આવે છે. પાપી પુરુષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પરંતુ એવો નિશ્ચય કરતા નથી કે હવે અમે ફરીથી પાપ નહિ કરીએ. રિ૯] સ્ત્રીનો સંગ ખરાબ છે તે અમે સાંભળ્યું છે, એમ કોઈ કહે પણ છે. એમ પણ કહે છે કે સ્ત્રીઓ હવે હું આવું કરીશ નહીં' એવું બોલીને પણ અપકાર કરે છે. રિ૭૦] સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમનો વિશ્વાસ ન કરે. [71] કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે હે ભયથી બચાવનારા સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો. રિ૭ર-૨૭૩ હું શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. પરંતુ જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પિગળવા લાગે છે, તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ શીતળવિહારી બની જાય છે. જેમ અગ્નિથી. સ્પર્ધાયેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઈ જાય છે. [74] કોઇ ભ્રષ્ટાચારી સાધુ પાપ કર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા અંકે શયન કરનારી છે. [275] તે મૂર્ખની બીજી મૂર્ખતા એ છે કે તે પાપકર્મ કરીને પાછો ઈનકાર કરે છે, એમબમણું પાપ કરે છે, તે સંસારમાં પોતાની પૂજા ઇચ્છતો અસંયમની ઈચ્છા કરે છે. રિ૭૬ો દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે હે ભવસાગરથી રક્ષા કરનારા આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો. [277] પૂવોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચાવલ વગેરે અનની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની મોહ પામે છે. એમ હું કહું છું. | અધ્યનનઃ૪-ઉદેસોઃ 2 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૪-ઉદ્દેશો 2) [278] સાધુ રાગદ્વેષ રહિત બનીને ભોગમાં કદી ચિત્ત ન લગાવે, જો કદી ભોગમાં ચિત્ત લાગી જાય તો તેને જ્ઞાનવડે પાછું હઠાવે. સાધુ માટે ભોગ ભોગવવો તે આશ્ચર્યની વાત છે, છતાં કેટલાક સાધુ ભોગ ભોગવે છે, તે વાત તમે સાંભળો. રિ૭૯-૨૮પ ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં આસક્ત, વિષયભોગમાં દત્તચિત્ત સાધુને પોતાના વશમાં જાણીને, સ્ત્રી તેના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે. સ્ત્રી કહે છે ભિક્ષો ! જો મારા જેવી કેશવાળી સ્ત્રી સાથે વિહાર કરવામાં તમને શરમ આવતી હોય તો આ જગ્યાએ જ મારા વાળ ઉખેડીને (લોચ કરીને ફેંકી દઉં છું. પરંતુ તમે મારા વિના કોઈ જગ્યાએ જાશો નહીં. અને જ્યારે તે સ્ત્રી જાણી લીએ છે કે સાધુ મારા વશમાં આવી ગયા છે ત્યારે તે સ્ત્રી તેને નોકરની જેમ કાર્ય કરવા માટે પ્રેરિત કે છે. તે કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org